SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યનિયમાદિ પાઠ શીલમાં આત્માના બઘા ગુણો જેવા કે દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા વગેરે સમાય છે. તે ગુણોને લૌકિક અર્થમાં જામ્યા છે. પરંતુ ભગવાને જેને દયા, શાંતિ વગેરે કહ્યા છે તેની ઓળખાણ પડી નથી. દયાના ઘણા ભેદ છે તે મોક્ષમાળાશિક્ષાપાઠ નવમામાં બતાવ્યા છે; તેમાં સ્વદયા એટલે પોતાના આત્માને અનાદિ કાળથી કર્મબંઘ કરી દુઃખી કર્યો છે તે બંઘનથી મુક્ત કેવી રીતે થાય? તે વિચારી ઘર્મમાં પ્રવેશ કરવો. જે કંઈ ઘર્મક્રિયા વગેરે કરવું તે આત્માર્થે કરવું, આત્માને કર્મબંઘથી મુક્ત કરવા લક્ષપૂર્વક વર્તવું તે દયા છે. તેથી દયાને ધર્મનું મૂળ કહ્યું છે. બોલવું નહીં તેને શાંત રહેવું એમ કોઈ માને છે. ભગવાને પ્રથમ સમકિત કરવા કહ્યું છે. પોતાના આત્માને ઓળખે પછી તેમાં રહેવું તે શાંતિ છે. સમકિત નથી થયું ત્યાં સુધી ક્રોઘાદિ ન કરે તો પુણ્ય બંઘાય, પરંતુ આત્માનો લક્ષ નથી ત્યાં સુધી કર્મથી ન છૂટે. આત્માનો લક્ષ હોય ત્યાં પછી કષાય રોકે વગેરે, તે બધું આત્મામાં રહેવા અર્થે થાય છે. શાંતિ એટલે બઘા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું. સ્વભાવ પરિણામ ઓળખે પછી વિભાવ પરિણામ ગમે નહીં તેથી નિવૃત્ત થાય. વિભાવથી હઠી સ્વભાવમાં આવે તો કલ્યાણ છે. કલ્યાણ એ જ શાંતિ છે. આત્માનું ઓળખાણ હોય તો તેનું માહાભ્ય લાગે, એટલે જે કરે તે આત્માર્થે થાય. ક્ષમા એટલે નિમિત્ત હોય તોપણ ક્રોઘાદિ ન કરે. બળપૂર્વક સ્વભાવમાં જ રહેવું તે ક્ષમા છે. ક્ષમા આત્માનો ગુણ છે. ક્રોઘાદિ વિભાવ છે. પવિત્રતા એટલે આત્માની શુદ્ધતા. સર્વથી પવિત્રમાં પવિત્ર વસ્તુ આત્મા છે. તે કર્મને લઈને અશુદ્ધ થઈ રહ્યો છે. મોક્ષ કહ્યો નિજ
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy