SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શું સાઘન બાકી રહ્યું! ૨૭ સબ શાસનકે નય ઘારોં હિયે, મતમંડન ખંડન ભેદ લિયે; વહ સાઘન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજું ન પર્યો. ૩ અનેક પ્રકારનાં શાસ્ત્રો છે. જેમકે ચરણાનુયોગ, કરણાનુયોગ, ઘર્મકથાનુયોગ વગેરે. તે સર્વ શાસ્ત્રોને તેના નયપૂર્વક એટલે નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાની સમજણપૂર્વક શીખ્યો, સમજ્યો. તેથી મત કેમ સ્થાપિત કરવા ને ઉથાપવા તેનું રહસ્ય જાણ્યું. એ રીતે અનેક ઘર્મમતો સ્થાપિત કર્યા તેમ જ અનેક ઘર્મમતો ઉખેડી નાખ્યા. જેમકે મહાવીર સ્વામીના પૂર્વ ભવોમાં થયું હતું. આ બઘાં સાઘને જીવે અનાદિ કાળથી અનેક ઉત્સર્પિણીઅવસર્પિણીમાં ભમતાં અનેકાનેક વખત બાર વાર) કર્યા છે, છતાં તેને હજુ તેનું ફળ કંઈ પ્રાપ્ત થયું નથી. ઘર્મ સાઘનો કર્યા પણ ઘર્મ ન પામ્યો. અબ કર્યો ને બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાઘનસેં? બિન સશુરુ કોય ન ભેદ લહે; મુખ આગલ હૈ કહ બાત કહે ? ૪ જ્ઞાની કહે છે કે હવે થોભ! ને વિચાર કે એ સાઘનો સફળ કેમ ન થયાં? શું બાકી રહી ગયું? તો કે ગુરુ વિના જ્ઞાન નથી. મર્મ તો સદ્ગુરુના અંતરમાં રહ્યો છે. તે બતાવે, સમજાવે ત્યારે સમજાય તેમ છે. સરુની સહાય વિના પોતાની મેળે સ્વચ્છેદે કોઈને ઘર્મનું રહસ્ય પ્રાપ્ત થતું નથી. કારણ તે આત્માને મૂકીને
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy