SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ નિત્યનિયમાદિ પાઠ બની રહ્યો છું. દોષો કરવા અને તેનું અભિમાન કરવું એ અધમાધમનું લક્ષણ છે. તેમ હું મારું સ્વરૂપ ભૂલીને કર્મરૂપી દોષથી પ્રાપ્ત થયેલ કુળ, રૂપ, બળ, વિદ્યા, ધન, સંપત્તિ વગેરે બાહ્ય સામગ્રીમાં અભિમાન કર્યા કરું છું. ઉપદેશ સાંભળવા છતાં પણ હું મારા દોષો છોડતો નથી માટે આખા જગતમાં મારા જેવો કોઈ અધમ–પાપી નથી. કોઈની પાસે થોડા પૈસા હોય અને માને કે મારી પાસે પૂરતું છે તો વધારે કમાવા પ્રયત્ન ન થઈ શકે. મારી પાસે કંઈ નથી, ઘણું મેળવવું છે એમ વિચારે તો મહેનત કરે. તે પ્રમાણે પોતાના દોષો વિચારી અભિમાન મૂકે તો આત્માના અનંત ગુણો સત્સુખ વગેરે મેળવવા પુરુષાર્થ કરી શકે. જીવ અનાદિ કાળથી ભિખારી જેવો છે. માટે હવે આત્મા પ્રાપ્ત કરવાની સામગ્રી મળી તો ચેતી જવું. અભિમાન મૂકીને પુરુષાર્થ ન કરે તો સાધનો મળ્યાં છે તે વૃથા જાય અને જેમ ઊંચેથી પડેલો વધુ પછડાય તેમ સંસારમાં દીર્ઘ કાળ રખડે. પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. ૨૦ બધા દોષો દૂર થવાનો ઉપાય સદ્ગુરુનું શરણ છે. “માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.’ (આત્મસિદ્ધિ ગાથા ૧૮) તેથી પરમાત્માને ફરી ફરી નમસ્કાર કરીને વારંવાર એ જ માગું છું. તે શું ? સદ્ગુરુમાં દૃઢ શ્રદ્ધા. વળી સદ્ગુરુ સંતમાં ને "1
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy