SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સાયંકાલીન દેવવંદન ૩૨૩ દેહથી ભિન્ન આત્મા બતાવ્યો એ આપનો અપાર ઉપકાર છે. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.૨૪ ભાવાર્થ :— આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજ્યા વિના હું અનંત કાળથી દુઃખ પામ્યા કરું છું. તે દુઃખ ટળે એ પ્રકારે આપે મને આત્મસ્વરૂપ સમજાવ્યું તે બદલ આપ શ્રી સદ્ગુરુ ભગવાનના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું. નમસ્કાર જય જય ગુરુ દેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઇચ્છામિ ખમાસમણો વંદિઉ જાવણિજ્જાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ. ભાવાર્થ :– તે સદ્ગુરુનો જય થાઓ. કર્મ રહિત સહજાત્મસ્વરૂપ જેણે પ્રગટાવ્યું છે એવા ૫૨મ ગુરુ શુદ્ધ આત્મસ્વરૂપના સ્વામી, અમારા અંતરની સર્વ વાતો જાણનારા, હે ભગવાન ! મોક્ષના દરવાજારૂપ જે ક્ષમા છે તેને ઘારણ કરનારા અને મોક્ષને અર્થે પુરુષાર્થ કરનારા હે ક્ષમાશ્રમણ ! હું આપને વંદન કરવાને ઇચ્છું છું. મારી શક્તિ પ્રમાણે શુદ્ધ ભાવથી મસ્તક નમાવીને વંદન કરું છું. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.૨૫ ભાવાર્થ : સદ્ગુરુ પુરુષોત્તમરૂપ પ્રભુ છે, કેવળજ્ઞાન અને અનંત સુખના ધામ છે. તે સદ્ગુરુએ મારા આત્માનું ભાન પ્રગટાવ્યું તેથી તેમને સદા નમસ્કાર કરું છું.
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy