SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ નિત્યનિયમાદિ પાઠ આ પ્રમાણે સ્વપ્રોનું ફળ સાંભળીને તથા વિચારીને ભગવાનનાં માતાપિતા બન્ને પરમ આનંદિત થયાં તથા ગર્ભમાં આવવા પહેલાંના છ માસની માફક (રત્નવર્ષાદિ ઉત્સવોથી) નવ મહિના પણ રાત્રિ દિવસ ઘણા આનંદથી વ્યતીત થઈ ગયા. આ ગર્ભકલ્યાણક મહોત્સવનો મહાન મહિમા સાંભળીને સૌ કોઈ સુખ પામે છે. રૂપચંદ્ર કવિ કહે છે કે આખું જગત સદેવ એવા જિનેશ્વર ભગવાનના ગર્ભકલ્યાણકનાં ગાન કરે છે. ૨ જન્મકલ્યાણક – મતિ-સુત‘-અવધિવિરાજિત જિન જબ જનમિયો તિહૂઁ લોક ભયો છોભિત, સુરગન ભરમિયો; કલ્પવાસીઘર ઘંટ, રૈઅનાહદ બજ્જિયા, જોતિસિ–ઘર હરિનાદ, સહજ ગલગયિા. ગજ્જિયા સહજ હિ સંખ ભાવન-ભુવનTM સબદ સુહાવને, વિંતરનિલય પટુ પટહ બન્જહિં, કહત મહિમા કર્યોં બને; કંપિત સુરાસન અવધિબલ જિન-જનમ નિહથૈ જાનિયો, ધનરાજ તબ ગજરાજ માયામયી નિરમયો આનિયો. ૫ મતિ, શ્રુત અને અવઘિ એ ત્રણ જ્ઞાન સહિત ભગવાનનો જ્યારે જન્મ થયો ત્યારે ત્રણે લોકમાં આનંદ કોલાહલ થવા લાગ્યો; કલ્પવાસી (ઊર્ધ્વ વિમાનોમાં રહેનારા) દેવોના ઘર પર તો આપોઆપ ઘંટ વાગવા લાગ્યા; સૂર્ય, ચંદ્ર, આદિ જ્યોતિષી દેવોના ઘર પર આપોઆપ સિંહનાદ થવા લાગ્યા, ભવનવાસી ૧. શ્રુતજ્ઞાન, ૨. અનાહત–વગાડ્યા વગર આપોઆપ, ૩. સિંહનાદ. ૪. ભવનવાસી દેવોના ઘર ૫૨, ૫. કુબેર, ૬. બનાવીને
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy