SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યનિયમાદિ પાઠ અર્થ :— માટે જીવ કોઈ રીતે કર્મનો કર્તા થઈ શકતો નથી, અને મોક્ષનો ઉપાય ક૨વાનો કોઈ હેતુ જણાતો નથી; કાં જીવને કર્મનું કર્તાપણું નથી, અને જો કર્તાપણું હોય તો કોઈ રીતે તે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી. (૭૩) ૧૭૪ ભાવાર્થ :– આ પ્રમાણે આત્મા કર્મ કરતો નથી એમ માનીએ તો પછી તેને કર્મથી છોડાવવાના ઉપાયો કરવાનું કંઈ પ્રયોજન નથી; અને કર્મ કરવાના સ્વભાવવાળો માનીએ તો તે સ્વભાવ કદી ટળે નહીં તેથી પણ મોક્ષ માટે ઉપાય કરેલા સફળ થાય નહીં એવી શિષ્યને શંકા છે. (૭૩) (૩) સમાધાન–સદ્ગુરુ ઉવાચ હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪ અર્થ :– ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તો કર્મને કોણ ગ્રહણ કરે ? જડનો સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ. (૭૪) ભાવાર્થ :– કોઈ પણ કામ કરવામાં આત્માની પ્રેરણા છે તો થઈ શકે છે. જડ એકલું દેહના કાર્ય ન કરે. જડ ને ચેતનના ધર્મ=સ્વભાવ વિચારી જુઓ તો તે સ્પષ્ટ જણાશે. પાઠાન્તર– “જુઓ વિચારી મર્મ’=રહસ્ય. આ વાતનું રહસ્ય વિચારી જુઓ. આત્મા શી રીતે કર્મ બાંધવામાં પ્રેરણા કરે છે તે ૮૨ મી ગાથા ‘ભાવ કર્મ નિજલ્પના' માં વિશેષ સ્પષ્ટ કર્યું છે. (૭૪)
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy