SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ . ૪ “જો કાઈને શંકા હોય તે! આવાં તીર્થક્ષેત્રે જુએ. તે મહાયેાગી પોતાને નામે કેટલાં ધતિંગ, અધર્મ, પાખંડ ઇત્યાદિ સહન કરે છે !” (પૃ. ૨૪૩), અનુભવસાર અને માર્મિક જીવનવિચાર : ગાંધીજીના હક્યની આ અસાધારણ પ્રેમશક્તિમાં એવી જ અસાધારણુ માત્રાની જાગ્રત સત્યષ્ટિ ભળી છે, અને પેાતાના અનુભવેામાંથી તેએ હમેશાં કંઈ ને કંઈ સાર ખેંચતા હાય છે. શાળાનાં વર્ષા દરમિયાન તે એક દિવસ કસરતમાં હાજર નહેાતા રહી શકયા તે માટે એમના દંડ થયા હતા તેથી, ગાંધીજી લખે છે, “મનમાં ને મનમાં સમસમી રહ્યો. રાયા. સમજ્યા કે સાચું ખેાલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ' (પૃ. ૧૬). આ વિચારા અલ્પશિક્ષિત વાચક પણ સમજી શકે એવા છે, પરંતુ તેમને આચરણમાં મૂકવા માટે જે જાગૃતિની જરૂર છે તે સામાન્ય માણુસના જીવનમાં પણ ભારે પરિવર્તન લાવી શકે અને એવી ચાકસાઈના આગ્રહમાંથી જ સત્યશીલ વનનેા પાયા રચાય છે. ( એમના લેાકશાહી માનસને અનુસરી ગાંધીજી પ્રસ્તાવનામાં લખે છે કે જે વસ્તુના નિ ય બાળા, જુવાન ને ખુઠ્ઠાં કરે છે તે કરી શકે છે તે જ વસ્તુઓને કથામાં સમાવેશ થશે,” પરંતુ એમ સાદી ભાષામાં મૂકેલા વિચારામાં કચારેક સત્યધના અટપટા પ્રશ્નો વિશે ઊંડાં ધ્વનિસૂચને રહેલાં હેાય છે. દુરાચારી મિત્રને સુધારવાની આશાથી ગાંધીજીએ વડીલ બંધુ, માતા તે પત્નીની ઇચ્છા વિરુદ્ધ પણ તેની સાથેના સંબંધ ચાલુ રાખેલા એની ટીકા કરતાં તેઓ લખે છે: ‘સુધારા કરવા સારુ પણ માણુસે ઊંડા પાણીમાં ઊતરવું નહી જોઈએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હેાય નહીં” (પૃ. ૧૯). અનાસક્તિના સૂમ સિદ્ધાંતને કેવા સાદા પણ સચોટ પાઠ! અનેક વાચકાને થતા હશે એવા એક ખીજા અનુભવમાંથી પણ ગાંધીજી અનાસક્તિને સાર ખેંચે છે. વડીલબંધુના પુત્રાને તેએ પેાતાની તરફ ન આકષી શકયા એ હકીકતના ઉલ્લેખ કરી તેએ લખે છે: “એમાં તેમને! દોષ નથી. સ્વભાવને કેાણ ફેરવી શકે ? બળવાન સ’સ્કારને કાણુ ભૂ`સી શકે ? આપણે માનીએ કે જેમ આપણામાં પરિવન થાય કે વિકાસ થાય તેમ આપણાં આશ્રિતામાં કે સાથીઓમાં પણ થવા જોઈએ, એ મિથ્યા છે.” ગાંધીજી માનતા કે બાળકોને પણ આત્મજ્ઞાન આપી શકાય, પણ તે ખીન્ત વિષયેા શીખવાય છે એ રીતે નહિ. “શરીરની કેળવણી,'' તેઓ લખે છે, “શરીરની કસરતથી અપાય, બુદ્ધિની બુદ્ધિની કસરતથી, તેમ આત્માની આત્માની કસરતથી.” પણ આત્માની કસરત શિક્ષક પોતાના વર્તન દ્વારા જ આપી શકે. “લંકામાં ખેઠેલા શિક્ષક પેાતાના વર્તનથી પેાતાના શિષ્યાના આત્માને
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy