SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યના ઇતિહાસ ૧૭૬ ] નથી. મુનશીને, ઐતિહાસિક ‘જય સેામનાથ'માં, ગંભીર અવાંતર સ્થિતિ છે. [4. ૪ નવલકથામાં એવું પૂર્ણ નિજત્વ પ્રાપ્ત થાય છે સ્વરૂપે. ‘પૃથિવીવલ્લભ' અને ‘ભગવાન કૌટિલ્ય’માં આ દષ્ટિબિંદુને કારણે મુનશીનું ડમા પ્રત્યેનુ ઋણુ એછું થતું નથી, પણ સાથે, તેથી, મુનશીના સર્જકત્વને પણ એછું ન આંકી શકાય અન્યની આકર્ષીક સામગ્રીને આમેજ કરવી કે સફળ રીતિને અનુસરવી આસાન નથી, અને તે સાથે આરંભના અનુસરણ પછી, પ્રભાવકથી મુક્ત થઈ, સ્વત ંત્ર સ્વત્વ પ્રાપ્ત ન કરે તે! તે સ ંકતા સદાની પરાશ્રિત અને પાંગળી ગણાય. મુનશીની કૃતિએમાંના ડથમાના પ્રભાવ આ દૃષ્ટિએ વિચારવે। ઘટે. ઐતિહાસિકતાને પ્રશ્ન ઃ ઐતિહાસિક નવલકથાની અતિહાસિક'તાને પ્રશ્ન પણ ઇતિહાસ અને કલાની અસ્પષ્ટ સીમારેખાને સ્પર્શતા અને તેથી સ‘દિગ્ધતાથી ગૂ`ચવાયેલા છે. મુનશીની ઐતિહાસિક નવલકથામાં ઇતિહાસના ધ્વંસ થયા છે, એમ ઇતિહાસન વિવેચકાએ પુરવાર કર્યું છે, તેા પાતે ઇતિહાસ નહિ, કલાકૃતિ સજે છે અને તેથી સકનું સ્વાતંત્ર્ય ભાગવવાના પેાતાના અધિકાર છે તેમ મુનશીનું માનવું છે. ઐતિહાસિક નવલકથામાં ઇતિહાસ ભૂમિકા અને સામગ્રી તરીકે સ્વીકારાયા છે એટલે ઐતિહાસિક તથ્યાની જાળવણી નવલકથાકારની સ્વયં સ્વીકૃત મર્યાદા બની જાય છે. તે સાથે કેવળ ઇતિહાસને જ જાળવીને તેમાં કશાય તિરસ્કારપુરસ્કાર કર્યા વગર કલાકૃતિ ન જ રચી શકાય તે વાત પણ એટલી જ સાચી છે. એટલે પ્રશ્ન ફેરફારા કયા, કેવા અને કેટલા પ્રમાણમાં કરવામાં આવે છે તેને જ બની જાય છે. ટૂંકમાં, તે ઔચિત્ય-વિવેકના પ્રશ્ન થઈ જાય છે. આ પ્રશ્નને પણ ભાવકની દૃષ્ટિએ વિચારવા જેવા ખરા. જેમ ડયૂમા વાંચનારને, મુનશીની વાર્તાએમાં ઠેરઠેર યમાના શે! જણાયા કરશે અને તેથી નવલકથાને ‘મુનશીની’. કૃતિ તરીકે આસ્વાદવામાં બાધા થશે, તેમ તિહાસજ્ઞને પણ મુનશીની ઐતિહાસિક કૃતિ વાંચતાં (અને આ જ વાત તેમની પૌરાણિક કૃતિને પણ લાગુ પડશે) તેમાંના ઇતિહાસવ્સ કઢવાના જ. પરંતુ જેમ ડયૂમા ન વાંચનાર, અથવા વાંચ્યા હાય તાય મુનશીની કૃતિના વાચન પ્રસંગે તેને ન મરનાર વાચકને, તવિષયક બાધા નડતી નથી, તેમ ઇતિહાસ-અજ્ઞ અથવા ઇતિહાસ-વિસ્મૃત વાચકને તેમાંના ઇતિહાસÜંસ પણ કઠવાને નહીં ! રવીન્દ્રનાથે ધ્યાન દોર્યું છે તેમ, વાચકના મનની સંસ્કારભૂમિકાની દૃષ્ટિએ આ બાબત વિચારવી જોઈએ. પ્રત્યેક વાચકની મનેાભૂમિકામાં સંસ્કૃતિ, પુરાણ, ઇતિહાસ વિષયક કેટલાક સ`સામાન્ય, સમગ્ર પ્રજાકીય માન્યતા રૂપે કેટલાક સસ્કાર
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy