SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ મહત્ત્વનું સ્થાન હોય છે. એથી એમાં ભોજનસામગ્રીની યાદી જ આવવા લાગી. એથી ઊર્મિમાંથી ધાર્મિક રૂઢિ તરફ પદનું સંક્રમણ થતું ગયું. પદની ઉત્પત્તિ અને વિકાસમાં આપણાં મંદિરોએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. મંદિરોમાં જુદે જુદે સમયે થતાં દર્શન વખતે અને પૂજા કરતી વખતે પદો ગાવાનો રિવાજ છે. એથી મંદિ૨માં જેટલીવાર દર્શન થાય, જેમ કે મંગળાનાં રાજભોગનાં, શણગારનાં, ઉત્થાનનાં, હિંડોળાનાં, કૃષ્ણનાં જન્મસમયનાં, જન્માષ્ટમીનાં, હોળી સમયનાં, તે સમયે સમયાનુરૂપ ગાવા માટે પદો રચાતાં. ભજનસંસ્થાઓએ પણ પદની ઉત્પત્તિ અને વિકાસમાં માતબર ફાળો આપ્યો છે. ભજનમંડળીઓમાં ધર્માનુરાગી જીવો, અગમનિગમનાં સંસારની અસારતાનાં, ઈશ્વરના માહાત્મ્યનાં ગીતો ગવાતાં. ભજન મંડળીઓ મોટેભાગે આખી રાત બેસતી, વારતહેવારે સવારથી સાંજ સુધી બેસતી. એમાં ગાવા માટે પદો રચાતાં. મધ્યકાલીન પદોનો રચનાર આમજનતામાંનો જ એક જીવ હોવાથી એમાં અલંકારો પણ રોજબરોજના જીવનમાંથી જ વીણાતા. એથી એનું વક્તવ્ય, અદનામાં અદના માણસ સુધી પહોંચી જતું. જેમ કે : બોલ મા બોલ મા બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા સાકર ને શેલડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળ માં પેલું લોકગીત હું તો દાતણ કરું ને હિ૨ સાંભરે રે મારાં દાતણિયાં રહી રહી જાય રે હું તો દાતણ - હું તો નાવણ કરું ને હિ૨ સાંભરે રે. મારાં નાવણિયાં રહી રહી જાય રે હું તો દાતણ – દર્શાવે છે કે પદનો ધાર્મિક અને સામાજિક જીવનની જરૂરિયાતમાંથી ઉદ્ભવ થયો. મધ્યકાલીન કવિઓ ક્યારેક પોતાની વ્યક્તિગત લાગણીઓનું પણ નિરૂપણ કરતા, એવાં પદો મોટેભાગે ભક્તિની ખુમારી દર્શાવતાં પદો છે. જેમ કે મીરાંબાઈનું આ પદ પ્રીત પૂરવની તે શું કરું, હો રાણાજી પ્રીત પૂરવની તે શું કરું? હો મેવાડા રાણા મનડું લોભાણું તેનું શું કરું? આ પદ પોતાની વ્યક્તિગત મનોદશાને વ્યક્ત કરતું હોવા છતાં એનો સંબંધ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy