SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ મીરાં ૩૫૯ એના અર્થો છે: પરમેશ્વર (કબીરનાં ત્રણ પદમાં આ અર્થ છે), અગ્રણી (મીરાં શાહ સૂફી અજમેરમાં આ અર્થ છે) અને અમીર. આમ, મીરાંબાઈ' એટલે પરમેશ્વરની પત્ની મીરાંના પદમાં મેરો પતિ સોઇ આદિમાં આ અર્થ સૂચવાય છે), અગ્રણી સ્ત્રી, અમીર સ્ત્રી. “મીરાં' શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે. “મીર=મીરાં” સંસ્કૃતમાં “મીરનો અર્થ છે : સમુદ્ર. “મીરાં' શબ્દ સંસ્કૃત શબ્દ “મિહિરના પરિવર્તનરૂપ હોય તો ‘મિહિરનો અર્થ છે : સૂર્ય. “મીરાં જો ફારસી શબ્દ હોય તો દુદાજી અથવા મીરાંના માતાપિતા મીરાંનું “મીરાં' એવું નામાભિધાન કરે? એથી પ્રશ્ન થાય છે કે મીરાંનું નામ “મીરાં' હશે? મીરાંનું અસલ નામ “મીરાં' હોય કે ન હોય, પણ મીરાંના પ્રત્યેક પદની અંતિમ પંક્તિમાં આરંભે “મીરાં' નામનો “છાપ' રૂપે મીરાંએ પોતે જ ઉલ્લેખ કર્યો છે. એથી જો મીરાં એ મીરાંનું ઉપનામ હોય અને મીરાંનું અસલ નામ વિસ્મૃત હોય તો પણ મીરાંને મીરાં નામ સ્વીકૃત છે. એનો અર્થ એ થયો કે મીરાંએ એના નામનો ત્યાગ કર્યો હતો. અને તો હમણાં જ આગળ પૂછ્યો તે પ્રશ્ન પૂછી શકાય કે એ અંગત જીવનનાં પદ રચે? મીરાંએ આવાં પદ રચ્યાં હોય તો પણ એમાંથી જે પદમાં પરનિંદા હોય, તિરસ્કાર હોય, ચમત્કાર હોય, આત્મદયા હોય એ પદનું કર્તુત્વ તો મીરાંનું ન જ હોય એ નિઃશંક છે. મીરાંનાં પદની રચનાતાલ વિશે કોઈ આધાર કે પ્રમાણ નથી. એથી મીરાંનાં પદનો ક્રમ નિશ્ચિત કે નિર્ભીત નથી. પણ મીરાંએ પ્રથમ મુખ્યત્વે વિરહ અને વેદનાનાં, વિપ્રલંભ શૃંગારનાં પદ રચ્યાં હશે અને પછી મુખ્યત્વે મિલન અને આનંદનાં, સંભોગ શૃંગારનાં અને સવિશેષ તો શાંત રસનાં પદ રચ્યાં હશે એવું અનુમાન મીરાંના જીવનના ક્રમના અનુમાન સાથે સુસંગત અને સુસંવાદી છે. જો કે મીરાંનાં પદમાં પરમેશ્વર, પરમેશ્વરનો પોતાની પ્રત્યેનો પ્રેમ અને પોતાનો પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ, એ જ એક માત્ર વિષય-વસ્તુ છે એથી મીરાંનાં પદમાં ક્રમનો પ્રશ્ન અતિમહત્ત્વનો પ્રશ્ન નથી. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર' –મીરાંનો પરમેશ્વર ગિરિધર નાગર છે. બોલે ઝીણા મોર, રાજા, તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર – મીરાંનો પરમેશ્વર રાજા છે. એથી ડુંગરિયા પર, નગરથી દૂર, ઉચ્ચ સ્થાને, એકાન્તમાં વસે છે. તો મીરાં પણ નાગરિકા છે. રાજવંશી છે. એથી તો ક્યારેક આ ગિરિધર નાગરમાં, આ રાજામાં એના નાગરત્વ, રાજત્વનો અભાવ પ્રગટ થાય છે ત્યારે મીરાં એને હસે છે : પ્રીત કરી પણ કરતાં ન આવડી, તું નંદ આહીરનો છોરો.” મીરાં ભક્ત હતી, સંત હતી પણ સાથે સાથે મેડતાની રાજકુંવરી હતી. મેવાડની
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy