SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ભાલણ ૨૩૭ મધ્યમ : (૬) રામવિવાહ, (૭) ધ્રુવાખ્યાન, (૮) મૃગી આખ્યાન, (૯) રામાયણતૂટક, (૧૦) દશમસ્કંધ ઉત્તમ : (૧૧) પહેલું નલાખ્યાન, (૧૨) સપ્તશતી-આખ્યાનરૂપમાં અનુવાદ, (૧૩) કાદંબરી–આખ્યાનરૂપમાં સારાનુવાદ, ઉપરાંત (૧૪) દશમસ્કંધમાં સામેલ થયેલાં મળતાં અને હજી અપ્રસિદ્ધ કહી શકાય તેવાં શ્રીકૃષ્ણબાલલીલાને લગતાં સંખ્યાબંધ પદ, (૧૫) એવાં રામબાલચિરતને લગતાં પદ. આમ ભાલણ આખ્યાનકાર અનુવાદક અને પદકાર એમ ત્રણ સ્વરૂપોમાં ગુજરાતી સાહિત્યની વિશાળ સેવા આપી ગયો છે. એક બીજું ‘નલાખ્યાન’ ભાલણના કર્તૃત્વના નિર્દેશ સાથે બૃહત્કાવ્યદોહન (ભાગ બીજો- શરૂની આવૃત્તિ)માં અને પછીથી રામલાલ મોદી તરફથી પહેલા નલાખ્યાન' સાથે છપાયેલું, પરંતુ ખુદ રામલાલ મોદીએ જ એ ભાલણની કૃતિ ન હોવાનું સિદ્ધ કરી આપ્યું છે.‘૩ આખ્યાનકાર ભાલણ શિવભીલડીસંવાદ કિંવા હરસંવાદ'એ ૭૯ કડીઓનું નાનું સળંગબંધનું આખ્યાનકોટિનું કાવ્ય છે, અને એની પહેલી રચના હોય એમ એની અતિ સામાન્યતાથી લાગે છે. ‘દ્રૌપદીવસ્ત્રાહરણ'નું એક જ કડવું મળે છે. એનાં સામાન્ય આખ્યાનોમાં ‘જાલંધર આખ્યાન’ ‘દુર્વાસા આખ્યાન’ અને મામકી આખ્યાન’ કડવાબદ્ધ રચનાઓ છે, જેમાં કોઈ પણ પ્રકારની પ્રૌઢિ જોવામાં નથી આવતી, સામાન્ય કથાનિરૂપણ જ ‘પદબંધ'માં નિરૂપાયેલ છે. એના અપ્રસિદ્ધ ‘રામવિવાહ’ કિવા ‘સીતાવિવાહ’માં, ધ્રુવાખ્યાન’માં, ‘મૃગી આખ્યાન’માં, ‘રામાયણ'નાં ચાર પદોએ તૂટતા આખ્યાનમાં અને દશમસ્કંધ’માંનાં મોટા ભાગનાં કથાનકોમાં વચ્ચે સ્પષ્ટ ઉમેરાયેલાં પદોને બાદ કરી નાખતાં કડવાબંધનાં પદોમાં એ કાંઈક રોચક તત્ત્વ આપવા સફળ થાય છે. એની આખ્યાનકાર તરીકેની સિદ્ધિ એના પહેલા નલાખ્યાન'માં અનુભવાય છે. સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આખ્યાનોની રચના કરવામાં એ પ્રસંગચિત્રણ કરતાં પ્રસંગનિરૂપણમાં વધુ લક્ષ્ય આપતો હોઈ મુખ્યત્વે કથાવસ્તુ જ નિરૂપે છે અને તેથી કરીને રસો અને અલંકારોને પ્રેમાનંદના પ્રકારની ઉન્નત માત્રાએ સાધી આપી શકતો નથી. જ્યાં એને એ કોટિ સાધ્ય બની છે ત્યાં સંસ્કૃત ગ્રંથોનો એને સહારો મળ્યો પકડી શકાય છે. એની પાસે હથોટી છે અને સામાન્ય રચનામાં પણ રોચકતા લાવી આપે છે. શિવજીને લુબ્ધ કરવા શિવભીલડી–સંવાદ'માં –
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy