SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૫ રચિયતાઓએ ઉપદેશના તત્ત્વ નીચે રંજન ચેપાઈ જાય નહિ એની સતત કાળજી રાખી. સંસ્કૃત પ્રાકૃતાદ નહિ જાણનાર જનસમાજને મનોરંજક રીતે ધર્મકથાઓ સંભળાવવાની વૃત્તિમાંથી જન્મેલા આ સાહિત્યપ્રકારનાં પ્રસ્તુત બે નામો સહેજ વિભિન્ન સ્વરૂપે થયેલો વિકાસ માત્ર દર્શાવે છે. રાસ અને આખ્યાનના સંબંધનો વિચાર કરતાં રાસ અને પ્રબન્ધનું સ્વાભાવિક સ્મરણ થાય છે. સાદા સંસ્કૃત ગદ્યમાં અને કવચિત્ પદ્યમાં રચાયેલાં ઐતિહાસિક કે અર્ધ-ઐતિહાસિક કથાનકોને મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યમાં પ્રબન્ધ' કહે છે. પણ જૂના ગુજરાતી સાહિત્યમાં તો રાસ જેવી જ કથાપ્રધાન રચનાઓને ‘પ્રબન્ધ’ નામ અપાયેલું જોવામાં આવે છે, જેમ કે ‘વિમલપ્રબન્ધ’, ‘કાન્હડદેપ્રબન્ધ’, ‘હમ્મીપ્રબન્ધ’ આદિ. અલબત્ત, આ રીતે જેમને પ્રબન્ધ' નામ અપાયું છે એવી રચનાઓ કોઈ ઐતિહાસિક વસ્તુ પરત્વે હોય છે એટલું પેલા સંસ્કૃત પ્રબન્ધો સાથે એનું સામ્ય ખરું. જોકે એમાંયે વિમલપ્રબન્ધ' અને ‘કાન્હડદેપ્રબન્ધ'ને કેટલીક હસ્તપ્રતોની પુસ્તિકાઓમાં ‘રાસ’ કહ્યા છે. બીજી બાજુ, વસ્તુપાલ-તેજપાલરાસ', ‘સમરારાસ’, પેથડરાસ’, ‘કુમારપાલરાસ’ અને એવી ઐતિહાસિક વ્યકિત કે વૃત્તાન્તો પરત્વે રચાયેલી કૃતિઓને પ્રબન્ધ’ કહેવામાં આવી નથી. માત્રામેળ છંદોમાં રચાયેલી ઐતિહાસિક કૃતિઓ પ્રબન્ધ’ કહેવાય અને દેશીમાં રચાયેલી ‘રાસ' કહેવાય એવી એક માન્યતા છે, પણ તે સાધાર નથી, કેમ કે દેશીબદ્ધ રાસોની જેમ માત્રામેળ છંદોમાં રચાયેલા રાસો પણ મોટી સંખ્યામાં મળે છે. આ ઉપરથી સ્પષ્ટ થશે કે ગુજરાતીમાં રાસ અને પ્રબન્ધ વચ્ચેની ભેદરેખા બહુ સ્પષ્ટ નથી. બલકે, બંનેને અલગ સાહિત્યપ્રકારો તરીકે વર્ણવવા એ પણ વધારે પડતું છે. એ જ રીતે દેશીબદ્ધ રચનાને આખ્યાનનું એક વ્યાવર્તક લક્ષણ ગણવામાં આવે છે, તે પણ આખ્યાનના પ્રારંભિક યુગ માટે બધી રીતે સાચું ગણી શકાય નહિ. વીરસિંહકૃત ઉષાહરણ’, (ઈં.૧૪૬૪ આસપાસ), કર્મણકૃત ‘સીતાહરણ’ (ઈ.૧૪૭૦, આસપાસ), માંડણકૃત ‘રામાયણ’ અને ‘રુકમાંગદકથા' (ઈ.નો૧૬મો સૈકો) આદિ આખ્યાનો ચોપાઈ આદિ માત્રામેળ છંદોમાં રચાયેલાં છે. જૈન રાસા અને જૈનેતર આખ્યાનની સમાન રચનાપરંપરાની આપણે હમણાં વાત કરી તે અહીં પ્રયોગમાં સ્પષ્ટ દેખાય છે. આ પ્રકારની રચનાઓમાં વચ્ચે વચ્ચે પદો મૂકવાની પરંપરા પણ બંનેમાં સમાન છે. આ તો મુખ્યત્વે સ્વરૂપની વાત થઈ. રાસ અને આખ્યાન એ જૂના ગુજરાતી સાહિત્યનો સૌથી લોકપ્રિય સાહિત્યપ્રકાર છે. જનસમૂહનું એના જેવું અને જેટલું સમારાધન બીજા કોઈ પ્રકારે કર્યું નથી. રાસ અથવા આખ્યાન તરીકે ઓળખાવી
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy