SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧ ગદગદ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુગધ જાણી. અચેત ચેતન થયો, ભવતણો અઘ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી. તમને જે વલ્લભ, હોય કંઈ સુલ્લભ, આપો, પ્રભુજી, હુને દયા રે આણી.' નરસિંહ બીજા પદમાં કહે છે : ગોપનાથે હુંને અભેપદ આપિયું. ...જો જો, ભાઈઓ, મારું ભાગ્ય મોટું– કીડી હતી તે કુંજર થઈ ઊઠિયો. પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોંટ્યું. શિવ પોતાને હાથ ઝાલીને કનકની ભોમ વિદ્રમના થાંભલાવાળી મુગતિપુરીમાં ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા છે ત્યાં લઈ જઈને સોંપણી કરે છે. ભક્ત મારો મૃતલોકથી આવિયો, કરોને ક્રિપા એને દીન જાણી. મુગતિપુરી-દ્વારકા એ મૃત્યુલોકની નથી. નરસિંહ કહે છે : તે જ વેળા હરિ મુજને કિરપા કરી, હસ્તકમલ મારે શીશ ચાંપ્યો. ત્રીજા પદમાં કહે છે કે શિવ જાય છે, પણ નરસિંહને દ્વારકામાં રાખે છે. કૃષ્ણ એને રિદ્ધિ, સિદ્ધિ, દ્વારકા-કૈલાસવાસ જે જોઈએ તે માગવા કહે છે. નરસિંહ માગે છે : રિધિસિધિરાજ્યનો ખપ નથી માહરે, એક અનંત તારી ભક્તિ જાચું... કષ્ટ પડે તિહાં સાહ્ય થાજો તો, ગાઉં જશ તાહરા મધુરી વાણી. વળી માગ્યું કે વૃંદાવનના રાસમંડળની ‘અખંડલીલા મારે નયણે નીરખું.' હસિયા કમળાપતિ, ધન્ય તારી રતિ, પ્રેમની ભક્તિ નરસૈને આપી. ચોથા પદમાં શરદપૂનમ આવી અને રાસ જામ્યો તેની વાત છે : “નરસિંહે તિહાં કરતાળ સાહ્યો.” પુરુષપુરુષાતન લીન થયું માહરું, સખીરૂપે થયો મધ્ય ગાવા દેહદશા ટળી, માંહે રહ્યો ભળી, દૂતી હૈ માનિનીને મનાવા. પાંચમા પદમાં કહે છે કે પછી તો દ્વારકામાં માસ વીતી ગયો'. નરસિંહે પ્રાર્થના કરી : જે રસથી અનુભવ્યો, ગાઉ તે નિતનવો, પ્રગટ ભૂતળે કરું અંતરજામી..
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy