SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ અંધકા-પિતા બદલે તેનું ક્ષેત્ર વ્યાપક બનાવવા જતાં મૂળ ઉદ્દેશ સધાયો નહિ. એક વર્ષ બાદ એ “નવચેતન' સાથે જોડાઈને લુપ્ત થઈ ગયું. ઈ. સ. ૧૯૦૯ થી ૧૯૦૪ ના ગાળામાં વિભાકરે સાહિત્ય, સમાજ, અર્થશાસ્ત્ર અને રાજકારણને લગતા હળવા તેમજ ગંભીર લેખે મુંબઈના જુદાં જુદાં સમયિકમાં લખ્યા હતા. તેને “આત્મનિવેદન ” નામે દળદાર સંગ્રહ પાછળથી તેમણે પ્રસિદ્ધ કર્યો હતે. નૃસિંહ વિભાકરનું વ્યક્તિત્વ ઉલ્લાસ અને અતિથી તરવરતું હતું. અભિમાનની હદે પહોંચે તેટલી સ્વગૌરવ અને સ્વમાનની વૃત્તિ તેમનામાં હતી. આત્મશ્લાઘાની ગંધ આપે એટલે આત્મવિશ્વાસ તેમનાં ભાષણ અને લેખોમાં પ્રતીત થાય છે. “મહત્ત્વાકાંક્ષા તેમની રગેરગમાં રક્ત સાથે મળેલી હતી.' સાહિત્યપ્રેમ, રાષ્ટ્રભાવના અને રંગભૂમિના ઉત્કર્ષની ઝંખના. તેમની પ્રવૃત્તિનાં મુખ્ય ચાલક બળ હતાં. વિભાકર સારા વક્તા પણ હતા “બાયગ્રાના ધોધ જેવી વેગવંત તેમની વાણી હતી. તેમનાં લખાણો તેમના સ્કૂર્તિમંત વ્યક્તિત્વની વિશિષ્ટ છાપ પાડે તેવી તેજસ્વી શૈલીથી અંકિત છે. અનેક ઉચ્ચ અભિલાષનું ઉચ્ચારણ કરનાર આ આશાસ્પદ લેખક તેમને સિદ્ધ કરી બતાવે તે પહેલાં તો–૩૭ વર્ષની ભરજુવાન વયે પાંડુરોગનો ભોગ બનીને તા. ૨૮-૫-૧૯૨૫ ના રોજ આ દુનિયા તછને ચાલ્યો ગયો. કૃતિઓ ૧૯૭ પતે ૧૯૨૪ કૃતિનું નામ પ્રકાર પ્રકાશન પ્રકાશક સાલ ૧. સિદ્ધાર્થ બુદ્ધ નાટક ૨. આત્મનિવેદન લેખસંગ્રહ ૩. નિપુણચંદ્ર • કવિ ન્હાનાલાલનું નીચેનું વાકય સંભારે: ગુજરાતી વક્તત્વકલાને જેe ( %) પુત્ર મણિશંકર રત્નજી ભટ્ટ ને બીજો પુત્ર સિંહ વિભાકર.” (“આપણાં સાક્ષરરત્ન' ભા. ૧, પૃ. ૫૯), નવલકથા
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy