SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૩૩ ના સાહિત્ય પ્રવાહ સારાં સારાં પુસ્તકાની દૃષ્ટિએ તેમજ સાહિત્ય સૃષ્ટિમાંના મ્હોટા અનાવાને લઈને સન ૧૯૩૩ નું વર્ષ ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં મહત્વનું સ્થાન લે છે. એ વર્ષનાં પ્રકાશના અવલેાકતાં આપણે જોઈ શકીએ છીએ કે સાહિત્યનાં જુદાં જુદાં અંગેામાં આપણા જાણીતા અને પ્રતિષ્ટિત લેખમાંના ઘણાખરાએ, ન્હાનામેાટા સૌએ કિમતી અને મહુત્વના ફાળા આપેલા છે, અને તે પુસ્તકા જેમ નવીન તેમ વિચારણીય માલુમ પડે છે. વળી શતાબ્દી ઉત્સવા, પાણી શતાબ્દી નિમિત્ત અભિનંદને, અગીઆરમી સાહિત્ય પરિષદની ખેટક લાઠીમાં અને સાતમી પૌર્વાત્ય કાન્ફરન્સનું અધિવેશન વડેદરામાં એ સ પ્રસંગે અને બનાવા વર્ષ દરમિયાન ગુજરાતી જનતાનું વિશેષ ધ્યાન ખેંચી રહ્યા હતા, અને તે ચાલુ સાહિત્ય પ્રવાહમાં ભરતી કરનારાં તત્ત્વા હતાં એમ આપણે કહી શકીએ, આપણા અર્વાચીન સાહિત્યયુગ વાસ્તવિક રીતે કવિ દલપતરામથી શરૂ થાય છે, પણ તેને નવું દૈવત અને એજસ, પ્રેરક ભાવવાહિતા અને લાગણીના તલસાટ, વિષયની નવીનતા અને વિવિધતા અપવાનો યશ કવિ નર્મદાશંકર જ ખાટી જાય છે; એટલું જ નહિ પણ એક પ્રભાવશાળી કવિ અને પ્રતાપી ગદ્ય લેખક, આદિ કાશકાર અને કુશળ ઇતિહાસ નવીશ તરીકે કવિ નર્મદાશંકરનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં ઉંચુ અને અને ખુ` છે. ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ અર્થે એમને જે તમન્ના હતી અને તેની સિદ્ધિ પાછળ ફકીરી ધરી હતી તે, તેમજ એમની એ સાહિત્ય સેવા વૃત્તિ અપ્રતિમ અને અનુકરણીય હેાઈ ને એમના સારૂ આપણામાં અત્યંત માનની લાગણી ઉદ્ભવે છે. કવિ ન દાશંકર આપણે ઈંગ્રેજી સાહિત્યના એગસ્ટન યુગના સર્વશ્રેષ્ઠ સાક્ષર ડે. જોનસનનું સ્મરણ કરાવે છે, અને એમને એવેલ જેવા સાથી અને અનુયાયી મળ્યા હાત અને એમનું જીવનવૃત્તાંત આલેખ્યું હોત તે! તે કાંઈક નવીન પ્રકાશ, એ સમયના સાહિત્ય જીવન પર પાડત; નČદ જ્યંતિ પ્રસ ંગે ખેાલવા ઉભા થતા એક વખતે સ્વસ્થ રા. સા. જમિયતરામ શાસ્ત્રીએ કવિને મકાને સાહિત્ય રસિકો અને વિદ્યા ૧
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy