SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી ૧૯૩૨ ની કવિતા ૧ માનવજીવનના સામાજિક અને રાજકીય પ્રશ્ના હાલમાં વધુ નવીન અને વ્યાપક રૂપે ઊભા થયા છે. કવિએ એ સૌના સ્વાભાવિક ઉદ્દાતા છે. કવિતા જેમ યુગયુગની પ્રતિચ્છાયા છે તેમ ધાત્રી ચે છે, એટલે પ્રત્યેક સાચેા કવિ ઇરાદાપૂર્વક યુગકવિ ન અને તાપણ સહજપણે યુગકવિ હાય છે. ભક્તકવિએ, સમાજસુધારક કવિ, રાષ્ટ્રકવિ, પ્રકૃતિના ગાયક કવિએ એ બધા પાતીકા યુગના પ્રતિનિધિ સરખા છે. કવિતા એ કારણે યુગયુગને રસઇતિહાસ છે. જે ચેતનયુગ છેલ્લી વીસીથી શરૂ થયા છે તેની છાયાએ આજે ગુજરાતની કવિતામાં ઊતરી છે. પ્રારંભની પ્રચારકાની કૃતિએ એછી થઇને યુગગુણવંતી કવિતા કલારૂપે જન્મી છે. કવિતાનું ક્ષેત્ર જીવન જેટલું વ્યાપક છે. કુટુંબનાં દૈન્ય, સમૃદ્ધિ અને સુખશાન્તિથી માંડીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય દૈન્ય, સમૃદ્ધિ ને સુખશાન્તિ સુધી પ્રશ્ન કવિતાક્ષેત્રને છે. વતનની કુદરતથી માંડીને દેશપરદેશની કુદરત ગાવાના પ્રશ્ન કવિતાના છે. આજે પ્રથમના પ્રશ્ન ઊકળતા ચરૂ પર ચડે છે પણ કવિએ દ્રષ્ટા તરીકે ખેસી રહેતા નથી. તેએ તે કળાકૃતિ દ્વારા ભાવિ સૃષ્ટિને વમાનમાં આકર્ષે છે. આ રીતે સાહિત્ય, શિલ્પ, નૃત્ય, ચિત્ર અને પ્રજાના હુન્નરઉદ્યોગેા યુગગુણયુક્ત કળામય રૂપ ધારણ કરે છે. કવિતાનાં કળામય રૂપા હજુ ક્ષેાકબદ્ધ ટૂંકાં કાવ્યા તરીકે છે એ ખરું; પરંતુ પૂર્ણ કળાનું પ્રભુત્વ કાંઈ સહસા સંભવતું નથી; કેમ જે પૂણ સ્વરૂપ તેા માનવજાતિના સંસ્કારી કલ્પનાજીવનના સંપૂર્ણ રસાનુભવનું સર્જન છે. છતાં આ નાજુક ઘરદીવડાં ખાટાં તો નથી જ. હવે પ્રસ્તુત વિષય પર આવીએ. હાલ જે નવા લેખકો અને તેમના યૌવને ભરેલા કવિતાપ્રદેશ ખેડી રહ્યા છે તે બધા યુવાને છે યુગપ્રાણની સ્પષ્ટ અસર આ વર્ષની કાવ્ય ૧૫૮
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy