SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી ગારીશ'કર ગોવરધનરામ જોશી. એએ કાઠિયાવાડમાં આવેલા ગોંડલ ગામના વતની ખેડાવાળ બ્રાહ્મણ છે. એમના પિતાનું નામ ગાવરધનરામ અને માતાનું નામ ગંગા મ્હેન છે. એમને જન્મ તા. મ્બર ૧૮૯૨ માં ગેાંડલ પાસ વીરપુરમાં થયેા હતેા. એમણે પ્રાથમિક શિક્ષણ સાત ધારણ સુધી લીધેલું, પછી હાઇસ્કુલમાંથી સન ૧૯૨૪-૧૫ મા મેટ્રીક થયલા. ત્યાર બાદ જૂનાગઢ કૅલેજમાં જોડાયલા અને સન ૧૯૨૦ માં બી. એ, ની પરીક્ષા સાહિત્ય ઐચ્છિક વિષય લઈને પસાર કરી હતી. એએ અત્યારે શિક્ષક છે. એમના પ્રિય વિષયે સાહિત્ય અને ઇતિહાસ છે. ગુજરાતી સાહિત્યમાં ટુંકી વાર્તાનું સાહિત્ય છેલ્લાં વીસ પચીસ વર્ષથી ખેડાવા માંડયું છે, અને તેમાંના શરૂઆતના ઘણાખરા પ્રયત્ને અન્ય ભાષાઓમાંથી અનુવાદ માત્ર હતા. સ્વતંત્ર કૃતિએ ગણીગાંઠી નજરે પડતી. પણ એ શાખામાં—દિશામાં–કાઇએ નવી ભાત અને પ્રતિભા પાડી હોય; અને એક કુશળ અને સ્વતંત્ર લેખક તરીકે નામના મેળવી હાય તે! તેનું માન પ્રથમ, જેઓ ‘ધુમકેતુ’ના ઉપનામથી ટુંકી વાર્તાઓ લખે છે, તેમને ટે છે. ‘રાજમુગટ’ ‘પૃથ્વીશ' વગેરે લાંબી અને રાજકીય નવલકથાએ એમણે લખેલી છે; પણ તેની વસ્તુસંકલના જોઇએ તેવી સફળ થયલી જણાતી નથી તેમ તેના પાત્રા પણ આકર્ષીક નિવડે એટલાં વિકસેલાં જણાતાં નથી. પરંતુ એમની ખરી મહત્તા ઉપર જણાવ્યું તેમ એક ટુકી વાર્તાના લેખક તરીકે વધુ છે; અને ગુજરાતી સાહિત્યમાં એમનું ‘તણખા'નું પુસ્તક કાયમનું સ્થાન લેશે. આ ઉપરાંત એમણે એકાંકી તેમ ભજવી શકાય એવાં બાળનાટકા પણ લખેલાં છે. નવા સાહિત્યકારામાં તેએ! આગળ પડતું સ્થાન લે છે; અને એમના તરફથી હજુ વિશેષ મૂલ્યવાન અને તેજસ્તી સાહિત્યકૃતિએ આપણને મળતી રહેશે, એવી માન્યતા છે. એમના ગ્રંથાની યાદી: રાજમુગટ પૃથ્વીશ તણખા તણખામંડળ ખીજું પડવા અને જાતે ખાજ જીવરામ જોશી ૧૨ મી ડિસે પ્ સન ૧૯૨૪ સન ૧૯૨૫ સન ૧૯૨૬ સન ૧૯૨૮ સુન ૧૯૨૮
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy