SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કનૈયાલાલ માણેકલાલ મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી એએ જાતે ભાવ બ્રાહ્મણુ અને ભરૂચના વતની છે. એમના પિતાનું નામ માણેકલાલ નરભેરામ મુનશી અને માતાનું નામ તાપીલક્ષ્મી છે. એમના પિતા અને કાકાત્રી વગેરે સરકારી નાકરીમાં ઉંચે હૈ!દ્દે પહોંચી, મુત્સદી તરીકે મશહુર થયલા; અને વડિલાનું બુદ્ધિકૌશલ્ય અને મુત્સદીગીરી, એમનામાં એધાને ઉતરેલા પ્રત્યક્ષ થાય છે. એમને જન્મ ભરૂચમાં તા. ૨૯-૧૨-૧૮૮૭ ના રાજ થયા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, પિતાની નાકરીની ફેરફારીના અંગે, એકજ સ્થળે લેવાનું બનેલું નહિ. તેઓ સન ૧૯૦૨ માં મેટ્રિક થઇ, વડેાદરા કૅલેજમાં દાખલ થયલા; અને સન ૧૯૦૬ માં ખી. એ., ની પરીક્ષા પીલેાસેાષી ઐચ્છિક વિષય લઈને ઔન વર્ગમાં પસાર કરી હતી. સન ૧૯૧૦ માં તેઓ એલ એલ. ખી; અને સન ૧૯૧૩ માં એડવેાર્કેટ થયા હતા. વકીલાતના ધંધા શરૂ કર્યાં પણ તે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં રસ લેવાનું છેડયું નહેાતું. સન ૧૯૧૭માં સ્ટુડન્ટસ બ્રધરહુડ તરફથી સમાજસેવા વિષે ઇનામી નિબંધ લખી, મેાતીવાળા પ્રાઇઝ મેળવ્યું હતું અને તે સમયે મુંબાઈમાં નિકળેલી ગુર્જર સભામાં જોડાઇ, દેશના અનેકવિધ પ્રશ્ન ચવામાં તેએ અગ્રેસર ભાગ લેતા હતા. ઐતિહાસિક અને સામાજિક નવલકથા લખવાનું કા ત્યારથી આરંભેલું; અને તેમાં એમને સ્વસ્થ રણજીતરામ તરફથી સારૂં પ્રેોત્સાહન મળેલું. “પાટણની પ્રભુતા” લખીને તેમણે જનતામાં ગુજરાતન! ગૌરવ માટે એક પ્રકારનું અભિમાન પેદા કર્યું છે. એ નવલકથામાંનું મુખ્ય પાત્ર મુંજાલનું ચિત્ર એવી દક્ષતાથી અને હુબહુ દોર્યું છે કે આપણા સાહિત્યમાં એ એક જીવત પાત્ર બની રહ્યું છે. તે પછી એમણે સંખ્યાબંધ નવલકથાનાં પુસ્તકા રચ્યાં છે અને તે એટલાં સફળ નિવડયાં છે કે ગુજરાતી નવલકથાકારામાં તેમણે ગવનરામની સાથે સમાન સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમની નવલકથાઓની માફ્ક એમનાં નાટકા, ‘પુરદર પરાજય’ અને અવિભક્ત આત્મા', ‘ધ્રુવ સ્વામિની દેવી’, વગેરે લેાકપ્રિય નિવડી, ઉત્તમ સાહિત્ય કૃતિ લેખાઇ છે અને એમનું છેલ્લું નાટક “કાકાની શશી'' તે સ્ટેજ પર ભજવાઈ, ચેતરફથી પ્રશંસા પામ્યું છે. એએ! નવલકથાકાર અને નાટકકાર હેાત્રાની સાથે એક સુંદર વક્તા પણ છે અને એમની પ્રતિભાશાળી કલમની જેમ એમની વાણીનેા પ્રવાહ ૩૫
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy