SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ ઉપરના વિવેચનમાં આપણને બે ભૂમિકાઓ સ્પષ્ટ થાય છે. એક ઇન્દ્રિયપ્રત્યક્ષની ભૂમિકા, અને સ્વીકૃત સિદ્ધાન્તોના પાયા ઉપર સ્થપાયેલી વિજ્ઞાનની શાખાઓની વિચારની બીજી ભૂમિકા. પહેલી ભૂમિકામાંથી આપણને વ્યક્તિ અને જાતિનાં “તો” e id & ” મળે છે, અને વિચારની ભૂમિકા પર તે તે વિજ્ઞાનનાં બીજાં “ત” આપણી સન્મુખ આવીને ઊભાં રહે છે. આ બંને ભૂમિકા પરનાં તમાં, આપણે ઉપર જેનો ઉલ્લેખ કર્યો તે, આપણી ચેતનાની વિચારસરણી આગળ ચાલે તે માટેનાં જરૂરી તો-વિચારનાં ચોકઠાં (Categories of Understanding and Reason ) 249 ભૂમિકા પરના પ્રત્યેક વ્યાપારમાં અનુસ્મૃત રહેલાં છે એમ લેટ કહે. આ સકંગ વ્યાપારમાં માત્ર જે જ્ઞાન વ્યવહાર્ય છે, તે જ જ્ઞાન આપણને મળે છે; અને આપણું પરિભાષામાં કહેવું હોય તે એમ કહેવું પડે કે ચિત્તની વિકલ્પની વૃત્તિ પર આધાર રાખતી માનવ બુદ્ધિને આ પ્રકારના જ્ઞાનમાં જે કંઈ એકતા માલુમ પડે છે, તે આપણું ચિત્તના આંતરિક અક્યના પડઘારૂપ છે. આ પ્રશ્ન લેટોએ એના “થિયાઈટીસ” નામના સંવાદમાં ચર્ચો છે. ત્યાં સવાલ કરવામાં આવે છે કે “જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય છે ? – H W is knowledge possible?” ઈન્દ્રિયપ્રત્યક્ષ તો માત્ર નિમિત્તરૂપ છે, જે કંઈ જ્ઞાન છે એ તો આપણું ચિત્ત કે આત્મા પિતે જ છે??? કારણ આત્મા પોતે ( P V che ft છે કે પોતાના વિચારનાં ચોકઠાં ઈન્દ્રિયપ્રત્યક્ષ ઉપર બેસાડે છે, અને તેથી જ્ઞાન શક્ય બને છે. ચિત્તવ વાઘણિયાવારપરિણામો વૃત્તિ = પ્રશ્ન એ આપણા સાંખ્યની વ્યાખ્યા આપણને યાદ આવ્યા વગર રહેતી નથી, --જે કે આપણી વ્યાખ્યા યોગભાર્ગના સાધકને ઉપયોગી થઈ પડે તેવા આંતરિક દષ્ટિબિંદુથી આપેલી છે, જ્યારે પ્લેટ બાહ્યાભિમુખ છે. - ૧૦૨. Theae et us : 185- D.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy