SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કેમ તે પ્રશ્ન અહીં છણવાની જરૂર નથી. કુટુંબની સંસ્થા નાબૂદ કરવી જોઈએ કે કેમ એ જ સવાલ છે. માનવ સ્વભાવનું સર્વાશે રૂપાંતર થવું જોઈએ એમ તે માને છે. અને જે એ પ્રકારનું રૂપાંતર થઈ શકે, તે પછી કદાચ કુટુંબની સંસ્થા રહે કે ન રહે તેમાં બહુ ફરક ન પડે એ શક્ય છે. સંસ્થા પોતે સ્વાર્થને પિષે છે કે નહિ એ વિશે આપણે વિચાર કરીએ તે આપણને લાગ્યા વગર નહિ રહે કે જે માણસમાં પિતામાં સ્વાર્થ બુદ્ધિ વધારે છે તેના સ્વાર્થ ને જ એ પિપશે. અને જે પહેલેથી જ નિઃસ્વાર્થ છે તેવાને વિકાસ કંઈ જુદે જ થશે. અને જે કેઈએમ કહે કે કુટુમ્બનું વાતાવરણ નિઃસ્વાર્થ બુદ્ધિને પોષતું નથી તે તેટલા પરથી જ કુટુંબ સંસ્થા ન જ હોય તો લેકે નિઃસ્વાર્થ જ થશે એમ પણું પ્રમાણગત આવશ્યકતાથી ફલિત થતું નથી. એરિસ્ટોટલે લગભગ આ દષ્ટિબિંદુ લક્ષમાં રાખીને લેટના સામ્યવાદની ટીકા કરી છે. પરંતુ મહાન સુધારકના જેવો પ્લેટોને ઉત્સાહ છે, અને એ રીતે તે આદર્શ નગરને સ્થાપન કરવા માટે તદ્દન નાનાં બાળકેને પસંદ કરે છે, અને એમને દુનિયાના દૂષિત વાતાવરણમાંથી દૂર ખસેડી ગ્ય કેળવણું આપીને આદર્શ રાજ્યના ફિલસૂફ શાસનકર્તાઓ બનાવે છે. ૮૬ (*૨૦) ટેને સામ્યવાદ “મારા-તારા”ની ભાવના અને કુટુંબની સંસ્થા ભૂંસાઈ જતાં માલમિલકત પરથી વ્યક્તિગત માલીકી આપોઆપ બંધ પડે છે. આ દષ્ટિએ જોતાં આપણે એમ આશા રાખીએ કે તેના આખા નગર રાજ્યમાં ખાનગી મિલક્ત રાખવાની મના હોવી જોઈએ, પરંતુ વિષયના નિરૂપણ પરથી આપણને એમ લાગે છે કે માત્ર શાસનકર્તાઓ અને તેમના મદદનિશને જ ખાનગી મિલક્ત રાખવાને હક નથી, ૮૬, જુઓ ૪૨૯ ૩-.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy