SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યા વગર રહેતું નથી. અને છતાં ગમે તે માણસ પિતાને મનગમતું, ફાવે તે કાર્ય કરતો હોય અને તેમાં પિતાના “અંતરાત્માના અવાજ”. વિષે બણગાં ફૂંકતો હોય, તો તે એને કદી સાંભળવાને તૈયાર નથી. કારણ કેટલીએ કસોટીઓ તથા દુઃખો પસાર કરીને, ઈષ્ટના સાક્ષાત્કાર પછી માણસે સમાજની માત્ર સેવા જ કરવાની છે. આ દષ્ટિએ જતાં તે માત્ર વ્યક્તિગત આત્માના મેક્ષમાં માનતે નથી એમ આપણે કહેવું જોઈએ.૭૪ લેટેનું સમાજશાસ્ત્ર જે કઈ માણસને પિતાના ધર્મમાં (Religion) કે વિચાર પદ્ધતિ કે આદર્શમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય છે તે સમાજની કે વિશ્વની સાથે એને શો સંબંધ છે તે પ્રશ્ન પૂછ્યા વગર રહી શક્તા નથી. વ્યક્તિ તરીકે પોતે જે આદર્શ સ્વીકાર્યો હોય તે આદર્શ કયા પ્રકારની સમાજવ્યવસ્થામાં સિદ્ધ થઈ શકે તે બાબત દરેક વિચારક નિર્ણય કરવા પ્રેરાય છે, પછી ભલે પોતે સ્વીકારેલે આદર્શ તદ્દન એકતરફી હોય તો પણ.૭૫ લેટની ફિલસૂફી એક બાજુ વ્યક્તિગત આત્મા અને બીજી બાજુ વિશ્વ–એ બંનેના સંબંધને અનુલક્ષીને ઘડાઈ છે અને આવી - ૭૪, અહીં એમ કહેવાને આરાય નથી કે વ્યક્તિગત આત્માના મોક્ષને આદર્શ આપણી ફિલસૂફીમાં સ્વીકારવામાં આવ્યું છે, તે તે એટલે અંશે સ્વાથી કે એકતરફી છે. હેટ પુનર્જન્મમાં માને છે, પરંતુ આત્માના મોક્ષને સિદ્ધાન્ત (આપણા અર્થમાં) એની ફિલસૂફીમાંથી મળી આવતું નથી. ૭૫. યુરોપમાં ઘણા લેખકોએ આવા પ્રયત્ન કર્યા છેઃ cicoros De Republica; St. Augustine's 'De Civitate Dei'; Dante's 'De Monarchia'; Sir Thomas More's 'Utopia'; Campanella's 'City of the Sun'; Bernard Shaw's ‘Tracts' za slitnoj leeસ્વરાજ' આ બધાં પુસ્તકો એ કોટિનાં છે, ,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy