SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ પર ઉતારી હોય એ દાખલે છે? નથી. અથવા માઇલેશિયાના વતની થેલિસ કે સિથિયાના વતની એના ખાસિસ તથા બીજા બુદ્ધિશાળી માણસોએ જેવી શોધ કરી છે, તેવી માનવજીવનને અથવા કળાઓને લાગુ પાડી શકાય એવી કઈ શોધ એને નામે જમા છે ખરી ? એવું કશું જ નથી. વળી હોમરે કદી કશી જાહેર સેવા કરી નહોતી તે કેઈને શું એ ખાનગી શિક્ષક કે માર્ગદર્શક હતો ? પિથાગોરાસના જ્ઞાનને માટે લેકે (a) એને અત્યંત ચાહતા હતા, અને જેના નામ પાછળ એના સંધનું નામ પડ્યું તે સંધને લઈને જેના અનુયાયીઓ આજે પણ સુવિખ્યાત છે તે પિથાગોરસે જેમ જીવનની અમુક પ્રણાલિકા સ્થાપી, તેમ હોમરની જીંદગી દરમિયાન એના સહવાસના ભૂખ્યા એવા મિત્રો શું હતા કે જેમણે ભવિષ્યની પ્રજા માટે હોમેરિક જીવન– પ્રણાલિકા પાછળ મૂકી હોય? એવું કશું એના નામે નથી. કારણ નહિ તો સેક્રેટિસ, લકવાયકા પ્રમાણે હોમર જીવતા હતા ત્યારે એના પિતાના જ વખતમાં ક્રિયેફિલસ તથા બીજાઓ હોમર પ્રત્યે અત્યંત બેદરકાર રહેલા, એ જે ખરું હેય, તે તે અવશ્ય ક્રિઓફિલિસ, જે હેમરને સેબતી હતો અને એ કંઈ સાધુસઃ નહોતો, તથા જેના નામ માત્રથી આપણને હંમેશાં હસવું આવે છે, (૪) તે એ હોમર તરફ બેદરકાર રહ્યો તે મૂર્ખાઈ માટે જે એને ઉપહાસને પાત્ર ગણવામાં આવે, તે તેમાં કશું અગ્ય નથી– શું છે? મેં જવાબ આપે : હા, મૃતપરંપરા તે એવી છે. પરંતુ ગ્લાઉઝોન, તમે શું એમ કલ્પી શકે છે કે હોમર માણસ જાતને સુધારવાનું અને શિક્ષણ આપવાને ખરેખર શક્તિમાન હતો – જે એ માત્ર અનુકરણ કરનાર નહિ, પરંતુ જ્ઞાની હત–તો હું કહું છું તમે
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy