SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્છેિઠ ૮ ૪૫૨ અને આ (એકલાની) ઉદ્દામ ઇચ્છાને લઈ તે પ્રજાસત્તાક રાજ્યમાં એવા ફેરફાર થવા પામે છે કે એમાંથી જુલમી રાજ્યની આવશ્યકતા ઊભી થાય છે. એમ. કઈ રીતે? સ્વાતંત્ર્યની ઝ ંખનાવાળાં પ્રજાસત્તાક રાજ્યમાં ભરેલી પ્યાલી હાથમાં રાખી ઉત્સવના દુષ્ટ અધિષ્ઠાતા (૬) તરીકે કરતા હશે, અને તેમણે સ્વાતંત્ર્યના ઉગ્ર દારુ ખૂબ ખૂબ પીધેા હશે, ત્યારે તે પેાતાના શાસનકર્તાઓને હિસાબ માગશે અને તેઓ શાપગ્રસ્ત મૂડીવાદીએ છે એમ કહીને એમને શિક્ષા કરશે, સિવાય કે પછી એના શાસનકર્તાએ અત્યંત અનુકૂળ બની રહે અને (સ્વાતંત્ર્યનું) તેને ઘણું બધું પાન કરાવે! તેણે જવાબ આપ્યા: હા, આ બનાવ ધણા સામાન્ય છે. મેં કહ્યું: હા, અને પ્રજાસત્તાક રાજ્યના ગુલામે નિમકહલાલ પુરવાસીઓને વિસાત વગરના માસેનાં તથા પેાતાની ખેડીએને ચાહનારાનાં ઉપનામ આપે છે; શાસનકર્તાઓ જેવી પ્રજા હાય અને પ્રજાના જેવા શાસનકર્તા હોય, તેા એમને ગમેઃ આવા માણસોમાં એના હૃદયનું પ્રતિબિંબ પડે છે, અને જાહેરમાં તથા ખાનગીમાં એ તેમને માન આપે છે તથા એમની પ્રશ ંસા કરે છે. હવે આવા (૬) રાજ્યમાં સ્વતંત્રતાની કંઈ હદ હાઈ શકે ખરી ? અવશ્ય નહિ જ. ધીમે ધીમે અરાજકતા ખાનગી ધરામાં પેસે છે અને છેવટે પશુઓમાં પણ પોતાના પગપેસારો કરે છે અને એને પેાતાને ચેપ લગાડે છે. એટલે કેવી રીતે? મારા કહેવાનો અર્થ એ છે કે બાપને છેાકરાની પાયરીએ ઉતરવાની અને એમનાથી ખીવાની ટેવ પડી જાય છે અને બાપ અને છેક સમાન કક્ષાના થઈ રહે છે, કારણ એને પેાતાનાં
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy