SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૯ ૫૬૧ હોય તે વષૅ વીત્યા બાદ, (૬) જુવાનીનેા જુવાળ ઉતરી ગયા હોય ત્યારે-ધારા કે જે સદ્ગુણાને દેશનિકાલ કરવામાં આવ્યા છે એમાંના કેટલાકતે એ ફરી પેાતાના આત્માના) નગરરાજ્યમાં દાખલ કરે છે, અને એ (સદ્દગુણા)ની પાછળ આવેલા દુર્ગુણાને પેાતાની જાત સર્વાંગે સુપ્રત કરી દેતા નથી—એવા સ ંજોગામાં પેાતાનાં સુખાને એ સમતાલ કરે છે અને જે કાઈ અંશ પહેલા આવે અને એ રીતે એને વારા આવ્યે જીતી જાય એવાના હાથમાં પેાતાના રાજ્યની લગામ આપીને એ અમુક પ્રકારનાં સમતાલપણામાં જીવન ગુજારે છે; અને જ્યારે એ આવા કાઈ અંશ (ના રાજ્ય)થી ધરાઈ જાય, ત્યારે રાજ્યની લગામ ખીજાને સાંપે છે. એ તેમાંના કાઈ પણુ અંશને ધિક્કારતા નથી પણ દરેકને એક સરખી રીતે પ્રેત્સાહન આપે છે. તેણે કહ્યુંઃ સાવ સાચું. તેમજ સાચી સલાહના એક પણુ શબ્દને પોતાના દુ'ની અંદર પેસવા દેતો નથી કે એને પાતે મળતો પણ નથી; એને જો કાઈ એમ કહે કે (૪) અમુક સુખા સારી અને ઉમદા પ્રુચ્છાઓને અને બીજાં દુષ્ટ ઈચ્છાઓને સાષવાથી મળે છે તથા કેટલીક ઇચ્છાએતે તેણે માન આપવું જોઈ એ અને એનેા ઉપયેગ કરવા જોઈ એ અને બીજીને એણે શિક્ષા કરવી જોઈ એ ને કાણુમાં રાખવી જોઈ એ— આમ જ્યારે એને ફરી ફરીને કહેવામાં આવે છે, ત્યારે એ પોતાનું માથુ ધૂણાવે છે અને કહે છે કે તે બધી એકસરખી છે અને એકના જેટલી જ બીજી સારી છે. તેણે કહ્યું : હા, એની રીત એ છે ખરી. મેં કહ્યું : હા, ક્ષણે ક્ષણે જાગ્રત થતી ઇચ્છાઓને સતાષવામાં દિવસેાદિવસ એનું જીવન વ્યતિત થાય છે; અને એ કાઈ વાર હારમેાનિયમના સંગીત તથા દારુના ખેાળામાં પડયા હાય છે; ત્યાર બાદ વળી એ માત્ર પાણી પીએ છે અને પાતળા થવાના પ્રયત્ન કરે છે; પછી વળી વ્યાયામ તરફ વળે છે; કાઈ વાર (૩) આળસમાં વખત કાઢતા અને ૨૯
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy