SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પર કેટલીએ ખેંચતાણ થયા કરે છે–તે આધુનિક ચિત્ત વિજ્ઞાનના સત્યથી પ્લેટ પૂરેપૂરા વાકેફ હતો. માણસના આત્માને અમુક અંશ એ અનેક પશુઓનાં માથાંવાળો કપે છે, અને એમાંના એકાદ જાનવરનું માથું કાપી નાખ્યું હોય તે તેની જગ્યાએ તરત બીજું ઉગે છે– એટલે કે ઇચ્છાઓને સામે મોઢે લડવા જતાં સામાન્ય રીતે માણસ હારી જાય છે, અને હરકેઈ ઇચ્છાને દબાવવાથી એ ભૂંસાઈ જતી નથી એ હેટ જાણતો હતો. અમુક સાધારણ ઇચ્છાઓને સંતોષવાથી તેઓ શમી જાય છે, અને અમુક બીજી ઘોર ઇરછાઓને તેમના વિષયો પૂરા પાડવાથી તેઓ ઊલટી વધારે ઉગ્ર બને છે એ લેટે જાણતો હતો.પર એટલે કે યુપીય ચિત્તવિજ્ઞાનને આજકાલને જે એ સિદ્ધાન્ત છે કે માણસે પિતાની ઇરછાઓ દબાવવી ન જોઈએ, અનર્ગળ રીતે વહી જવા દેવી જોઈએ, અને એ રીતે જ માણસ એમાંથી મુક્ત થઈ શકે–તે સિદ્ધાન્ત બેટ છે એમ પ્લેટ માનતે. આ ઉપરાંત એનું એમ પણ કહેવું છે કે જે કઈ માણસ કેવો છે એ જાણવું હોય તે તેને કેવાં સ્વપ્નમાં આવે છે તે પૂછવું જોઈએ. કારણ લેટોએ કહ્યું છે તેમ ઊંઘમાં જ્યારે માણસને ઉચ્ચતર અંશ જાગ્રત હેત નથી. ત્યારે સ્વપ્નમાં જે દુષ્ટતાને વિલાસ એના મનમાં થાય છે–તે જ્યારે પોતે જાગતો હોય ત્યારે પણ, જે એના આત્માના ઉચ્ચતર બુદ્ધિના અંશને દી એણે ઓલવી નાંખ્યો હોય તે એના ચિત્તમાં રહેલી દુષ્ટતા બહાર આવે છે.પ૪ આજ કાલ આપણે ત્યાં યુરોપીય ચિત્તવિજ્ઞાનની અસરને લીધે કેટલાએક લેકે એમ માને છે કે માનસશાસ્ત્ર વિજ્ઞાનની જ શાખા છે, અને તેથી એના નિરૂપણમાં નૈતિક પર. જુઓ ખાસ પરિ. ૯૫૭૧-૭૨-૭૩ 43. To allow one's owo nature to run out. ૫૪, જુઓ પરિ. ૯-૫-૭૨, ૫૭૪ ૬.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy