SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૭ પહેલાં એ પડછાયાને ઉત્તમ રીતે જોઈ શકરો, પછી માણસા તથા બીજી વસ્તુઓનાં પાણીમાં પડેલાં પ્રતિબિખાને, અને પછી વસ્તુને પેાતાને; ત્યાર પછી ચંદ્ર તથા તારાઓનું તેજ તથા તારાજડિત આકાશ (૬) તરફ નજર નાંખશે, અને ( આ ભૂમિકા પર ) દિવસે સૂર્યને કે સૂર્યના તેજને જોઈ શકે તે કરતાં વધારે સારી રીતે એ રાત્રે આકાશને તથા તારાઓને જોઈ શકશે ? ૩૬૨ જરૂર. સૌથી છેલ્લે, પાણીમાં પડેલા સૂર્યના માત્ર પ્રતિબિંબને જ નહિ, પરંતુ ( સાક્ષાત્ ) સૂર્યને જોવા એ શક્તિમાન થશે, અને તે પણ કાઈ ખીજા સ્થાનમાં નહિ પરંતુ એના પેાતાના યોગ્ય સ્થાનમાં જ એ જોશે, અને એ ( સૂર્ય ) જેવા છે તેવાનું એ ચિંતન કરશે. જરૂર. ત્યાર પછી એ એવી દલીલ કરશે કે એ આપણને ઋતુ અને વનો આપનાર છે, અને દૃશ્ય જગતમાં જે (૪) કંઈ છે તેને એ પાલક છે, તથા તે અને તેના મિત્રો જે બધી વસ્તુઓને જોવા ટેવાયેલા છે તેનું એ અમુક દૃષ્ટિએ (સમા) કારણ છે. તેણે કહ્યું : પહેલાં સૂર્યને જુએ અને પછી એને વિશે (બુદ્ધિથી) તર્ક (reason) કરે એ સ્પષ્ટ છે. અને જ્યારે જૂનાં રહેઠાણનું તથા ગુફાના અને એના કેદીસાથીઓના વિવેકનું એને સ્મરણ થાય, ત્યારે તમને શું એમ નથી લાગતું કે એનામાં જે પિરવતન થયું છે તે માટે એને આનંદ થશે અને ( જે હજી પણ ગુફામાં બાંધેલા પડયા છે.) તેમના પર એને યા આવશે ? જરૂર એને એમ થશે. અને ચલાયમાન પડછાયાનું નિરીક્ષણ કરવામાં, અને કયા એળે આગળ ગયા અને કયે પાછળથી આવ્યા, અને કયા એકી સાથે પસાર થયા એની નેધ કરવામાં જેએ સૌથી વધારે ચપળ હોય તેમને
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy