SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ અસત્ વિશેનું માત્ર અજ્ઞાન જ હોય; એટલે કે આપણામાં રહેલા અજ્ઞાન અથવા જુઠ્ઠાણાંને લીધે જ જીવનમાં દુČણા દેખા દે છે, સાક્રેટિસના સદ્ગુણુ એટલે જ્ઞાન એ સિદ્ધાન્તની સાથે આ વિચારસરણી બરાબર બંધબેસતી આવે છે. માનવજીવનમાં અનીતિ કે દુર્ગુણા કેમ અસ્તિત્વમાં આવે છે તેને સુમેળ કાઈ પણ પ્રકારની અદ્વૈત ફિલસૂફીની સાથે સાધવા હાય તેા આ એક જ માગ છે, અને આપણી ફિલસૂફ્રીમાં પણ દુખ, દુગુ ણુ-અધર્મ, મૃત્યુ વિગેરેનું મૂળ કારણ અજ્ઞાન જ માન્યું છે, પરંતુ આ અજ્ઞાન અને શુદ્ધ જ્ઞાન વચ્ચે શા સબંધ છે તે ખરી રીતે જોતાં આપણા માનવ–ચિત્તની બુદ્ધિરાક્તિની બહારના છે (સાક્ષાત્કારના વિષય છે—મૌનના વિષય છે.) પરંતુ આપણી બુદ્ધિને જ્ઞાન મેળવવા માટે ઇન્દ્રિયાનુભવની અપેક્ષા રહે છે. કારણુ સીધા અનુભવ વગર આપણને બૌદ્ધિક ખયાલ આવી શકતા નથી. હવે ઈન્દ્રિયગમ્ય વસ્તુએ તેા પરિણામી હાય છે અને શુદ્ધ સત્ય તત્ત્વ અપરિણામી છે. તેા પરિણામી વસ્તુઓના ઇન્દ્રિયાનુભવમાંથી અપરિણામી તત્ત્વોનું જ્ઞાન ઉત્પન્ન થઈ જ કેમ શકે એ પ્રશ્ન ઊભા થાય છે. પ્લેટા અહીં પારમેનાઈડીઝના જેવા સત્કાય વાદને સ્વીકારે છે. બુદ્ધિને જો અપરિણામી તત્ત્વનું જ્ઞાન ન જ હાય, તેા તેવું નવું જ્ઞાન બુદ્ધિને થઈ શકે જ નહિ; પરંતુ બુદ્ધિને એ તત્ત્વનું જ્ઞાન થાય છે, બુદ્ધિ એ તત્ત્વાને પીછાને છે માટે આત્માને જન્મ પહેલાં આ તત્ત્વાને અનુભવ થયેલો ાવો જોઈએ; અને આ જીવનમાં તે। આત્મા પર જે વિસ્મૃતિનું પડ બાઝી ગયું છે, તેને ઇન્દ્રિયાનુભવ થતાંની સાથે એ ખ'ખેરી નાંખે છે અને આત્માને સ્મૃતિ' થાય છે, જ્ઞાન થાય છે. આત્મા પાતે આવાં તત્ત્વથી ભિન્ન છે કે પછી એ તત્ત્વામાંનું એક છે તે વિશે પ્લેટા મૌન સેવે છે. જો એ તત્ત્વોથી આત્મા ભિન્ન હોય તે આત્મા આવ્યા કયાંથી, અને જો એક હાય તેા આત્મતત્ત્વ ખીજાં તત્ત્વોના અનુભવ કરી શકે એટલો ભેદ તેા એ એમાં છે જ
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy