SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ વાર એ એમ પણ કહેતા કે વ્યક્તિઓની બુદ્ધિ અરસપરસ ઘસાય તે જ સત્યને જન્મ થઈ શકે. સૈટિસના વ્યક્તિત્વની લેટ પર એટલી છાપ પડેલી કે એના સંવાદોમાં સેક્રેટિસ દ્વારા જ પિતાની ફિલસૂફીનું એણે નિરૂપણ કર્યું છે. સોક્રેટિસને સિદ્ધાન્ત હતો –Know thyself– તારી જાતને ઓળખ. કેટલાક વિદ્વાને આને બહુ ટુંકે અર્થ કરે છે, એટલે કે આ સૂત્રથી સેક્રેટિસનું કહેવું એમ નહતું કે તું તારા આત્માને જાણું, પરંતુ એનું એટલું જ કહેવાનું હતું કે તું જે કંઈ બોલે છે અથવા કરે છે તેને અર્થ પૂરેપૂરે જાણું પરંતુ માણસ પોતે જે કંઈ બોલે વિચારે અથવા કરે તેનો અર્થ જાણવા ઊંડે સુધી જઈને પ્રયત્ન કરે, તે તે પોતે આમા સુધી જાય જ એમ કહ્યા વગર બીજે ટકે નથી. સેક્રેટિસમાં mystic વલણ પણ હતું. અને એમ કહેવાય છેએક વાર લાગલગાટ બરફમાં બે કે ત્રણ દિવસ સુધી ખાધાપીધા વગર ઊંડા ચિંતનમાં એ ઊભે હતે ! એ પોતે પોતાના અંતરાત્માના અવાજમાં માનતો, અને એ અવાજ એને હંમેશાં નિષેધાત્મક રીતે કયે વખતે શું ન કરવું એની દેરવણ આપત–એટલે કે “આમ ન કરીશ”—તેમ ન કરીશ” એ રીતે એને પિતાને સૂચના કરતો. એને મન અમુક વસ્તુનું જ્ઞાન થાય તે માણસે સહજ રીતે એ પ્રમાણે આચરવું જ જોઈએ એમ હતું. એટલે કે સગુણ શું છે એનું માણસને ભાન થાય તે એણે એ પ્રમાણે આચરણ કરવું જ જોઈએ. જ્ઞાન એ જ સગુણ છે એ એને સિદ્ધાંત હતો; (“Epistem e = areti”) આથી જ્યારે બીજાઓના અભિપ્રાયો એ તેડી પાડતો, તો તેવા લેકમાં જ્ઞાન પ્રત્યેની ઊંડી શ્રદ્ધા ન હેવાથી સગુણ વિશેના પિતાના અભિપ્રાય પડી ભાંગતા તેઓ જુએ, ત્યારે તેમનાં જીવનમાં સાચાખેટાના ધેારણનો નાશ થાય અને તેથી તેઓ અનર્ગલ રીતે ગમે તેવો આચાર કરે અને ખરાબ થાય એ સ્વાભાવિક ગણાય. પરંતુ સોક્રેટિસમાં પિતામાં જ્ઞાન
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy