SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ કાલ તથા બુદ્ધિએ અનુભવમાંથી તારવી કાઢેલા કેટલાએક ખયાલ વિશે આવાં વિધી વિધાને થઈ શકે છે. પ્રાચીન ગ્રીસમાં આ પદ્ધતિઓ નવી નવી શોધાયેલી અને પ્લેટને તે વારસામાં મળી. આવી આન્વીક્ષિકી (“Dialectik ë”) વિદ્યાની મદદથી જે કંઈ વિધાન કરવામાં આવે તે સર્વમાન્ય હોવાં જોઈએ એવો મત ગ્રીક ફિલસૂફમાં પણ હતું. હીરેકલેઈટસને લેગોસ (“Log os”) અથવા એનેકઝેગોરાસના “નુર” (“No us”) આવા સત્ય સુધી આપણને લઈ જાય એમ કહી શકાય. વિશ્વમાં જે કંઈ વ્યવસ્થા કે હેતુપુરઃસરને મેળ વ્યક્ત થાય છે તે “લોગોસ” અથવા “નુસરને આભારી છે, અને આ બંને માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમષ્ટિમાં સર્વવ્યાપી છે. પરંતુ સામાન્ય સમાજ ઉપર આપણે દૃષ્ટિ નાંખીએ, તે વ્યક્તિ વ્યક્તિના સ્વાર્થ જુદા અને ઘણે ભાગે વિરોધી હોય છે. આવા વિરોધી સ્વાર્થ સાચા છે, અને વિરોધી અંગે એકી સાથે સાચાં હોઈ શકે એમ ફિલસૂફીની દષ્ટિએ ખરા સ્થાપવા સક્રિસ્ટ લેક પ્રયત્ન કરતા. સેફિસ્ટ સાપેક્ષવાદી હતા અથવા એમને અનેકાન્તવાદી પણ કહી શકાય. જેન ફિલસૂફીને અનેકાન્તવાદ પ્રમાણગત આવશ્યક્તાનો વિરોધ કરતો નથી, પરંતુ ફિસ્ટને સાપેક્ષવાદ માત્ર એક પ્રકારને વ્યક્તિત્વવાદ જ હતો. સમાજમાં ભિન્ન ભિન્ન વ્યક્તિઓના સ્વાર્થ જુદા હોય, તે પરથી પ્રોટેગરાસ નામના સોફિસ્ટ, એમ પ્રતિપાદન કર્યું કે વ્યક્તિ પોતે જ સત્યનું ધોરણ છે. સમાજમાં જ્યાં આવી અનવસ્થા હતી, અને દરેક શિક્ષક જ્યાં પોતાના શિષ્યને સંકુચિત સ્વાર્થ જે રીતે સિદ્ધ થઈ શકે તે જ સાબીત કરવા ઉપદેશ આપતો. તેવે વખતે–વિશ્વનું મૂળભૂત તવ શું છે અથવા વિશ્વમાં પરિવર્તને. શા માટે અને કઈ રીતે થાય છે, તેના નિયમે શોધવા કરતાં, પિતાની સૌથી નજીક માણસની પોતાની જાત છે, અને એ જાત ઓળખવાને. 32. Kant's Antinomies of Reason.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy