SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ४२३ . ૧૮૯ સારું શિક્ષણ મળે અને મોટા થઈ તેઓ પુખ્ત ઉમ્મરના થાય, ત્યારે આ બધામાંથી તેમ જ જે બીજી બાબતે હું છેડી દઉં છું તેમાંથી તેઓ સહેલાઈથી પોતાને રસ્તો કરી લેશે; ઉદાહરણ તરીકે લગ્ન, સ્ત્રીઓ ઉપરની (૪૨૪) માલિકી અને પ્રજોત્પત્તિ–જે બધાં કહેવતમાં છે. તે પ્રમાણે –“તમામ ચીજે ઉપર મિત્રોની સમાન માલિકી રહેશે,”+ એ સામાન્ય સિદ્ધાન્તને અનુસરશે. એનું નિરાકરણ કરવાને એ સારામાં સારે રસ્તો છે. મેં કહ્યું અને જે એક વાર સારી રીતે શરૂઆત કરવામાં આવે, તે ચક્રની જેમ પોતાના પ્રકૃતિબળને ઉપચય કરતું એ રાજ્ય આગળ. પ્રગતિ કરશે. કારણ સારે ઉછેર અને સારી કેળવણું સારી વૃત્તિઓને રોપે છે, અને આ સારી વૃત્તિઓનાં મૂળ સારી કેળવણીમાં બાઝે તેથી એને વધારે ને વધારે ઉત્કર્ષ થાય છે, અને બીજાં પ્રાણીઓમાં થાય છે () તેમ એ ઉત્કર્ષની અસર માણસની ઓલાદ ઉપર પણ થાય છે.* તેણે કહ્યું કદાચ સંભવ ખરે. ત્યારે ઉપસંહારમાં કહેવાનું કે આપણું શાસનકર્તાઓએ જે મદા ઉપર સૌ કરતાં વધારે ધ્યાન આપવું જોઈએ તે આ છે, કે માનસિક અને શારીરિક કેળવણુનું અસલ સ્વરૂપ (પ્રજાએ) જાળવી રાખ. વાનું છે. અને (તેમાં કઈ) નવી રીતિ દાખલ થવા દેવાની નથી. એને સુરક્ષિત રાખવા માટે તેમણે પિતાથી બનતું બધું કરવું જોઈએ, અને જ્યારે કેઈપણ એમ કહે કે – ગાયકે પાસે જે નવામાં નવાં ગીતે હોય + જુઓ પરિ. ૫૯ ૪૪૯ * વંશાવયને સિદ્ધાન્ત અહીં પ્લેટે સ્વીકારી લે છે, તે પણ એમ પૂરેપૂરી શ્રદ્ધા તો નથી જ, કારણ લાઉદેન તરત જ બેસે છે કદાચ સંભવ ખરે! ૧. Odessy 1-352
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy