SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ ૪ - એ વધારે ને વધારે આળસુ અને બેપરવા બનશે, નહિ? તદ્દન ખરું. અને પરિણામ એ આવશે કે એ વધારે ખરાબ કુંભાર થશે. હા, એને ઘણો જ અપકર્ષ થશે. પરંતુ બીજી બાજુ જે તેની પાસે પૈસા બિલકુલ ન હય, અને ઓજાર કે સાધને પોતે લઈ ન શકે, તો તે પોતે એટલું સારું કામ નહિ કરી શકે, તેમજ (સુ) પિતાના પુત્રને અથવા શિષ્યોને એટલું જ સારું શીખવી નહિ શકે. અવશ્ય નહિ, ત્યારે ગરીબાઈ કે ધન–એ બેમાંથી એકેની અસરને લીધે કારીગરો તથા તેમના કામને એટલી જ ક્ષતિ પહોંચવાનો સંભવ છે. ખરું ને? એ દેખીતું છે. ' કહ્યું. ત્યારે અહીં (વળી) નવાં અનિષ્ટોની શોધ થઈ પાલકોએ એની સામે સંભાળ રાખવી પડશે, નહિ તો અદશ્ય રીતે એ નગરમાં પેસી જશે. ક્યાં અનિષ્ટ ? (રર) મેં કહ્યું? સંપત્તિ અને ગરીબાઈ એક વિલાસ અને આળસની માતા છે, અને બીજી ક્ષુદ્રતા અને દુર્ગુણની, અને બંને અસંતોષની. તેણે જવાબ આપે : એ સાવ સાચું છે; પણ સેક્રેટિસ, આપણું નગર રાજ્ય પાસે લડાઈમાં શક્તિ આપે એવાં સાધનો નથી તે ખાસ કરીને ધનવાન અને બલવાન દુશ્મનની સામે એ કેવી રીતે લડાઈમાં ઉતરવા શક્તિમાન થશે એ જાણવાનું હજી મને મન થાય છે.* * મુદ્દો : ૩, આદર્શ નગર રાજ્ય અને બીજાં સામાન્ય નગરરાજા વચ્ચેનો તફાવત
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy