SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - . . તત્ત્વ કે એ બે વચ્ચેના સંબંધ વિશે એમનું રહ્યું હોય એમ જરા પણ એમને ન લાગ્યું, તેથી કોઈ પ્રતિભાશાળી પુરુષ જુદી જ દિશામાં નવી શરૂઆત કરે એ સંભવિત હતું. એ પ્રતિભાશાળી પુરુષ બીજે કઈ નહિ પણ સેક્રેટિસ. પરંતુ માણસ ગમે તેટલે બુદ્ધિમાન હોય તો પણ એ પોતે અમુક ક્ષેત્રમાં શું કામ કરશે તેની વિગતોના આધાર સામાજિક પરિસ્થિતિ પર ઘણે રહે છે. સેક્રેટિસના કાળમાં એથેન્સમાં પ્રજાસત્તાક રાજ્ય હતું. પ્રજાસત્તાક ધરણને લીધે બુદ્ધિશાળી માણસોને રાજસત્તા પિતાને હાથ કરવાની મહત્ત્વાકાંક્ષા જાગતી, અને એ લયને પહોંચી વળવા માટે બુદ્ધિને ઉપયોગ કઈ કઈ સાચી કે ખોટી રીતે થઈ શકે તેને શિક્ષણની જરૂરિયાત સમાજમાં ઉભી થઈ. આ જરૂરિયાતને પહોંચી વળવા સમાજમાં એક એવો વર્ગ પેદા થયે કે જે એથેન્સના મહત્ત્વાકાંક્ષી યુવાન વર્ગને સાચી-બેટી દલીલ કેવી રીતે કરવી તેનું શિક્ષણ આપતો, અને આ શિક્ષણ બદલ એ વર્ગ અમુક ફી પણ લેતે. પહેલાંના ધર્મગુરુઓ કે ફિલસૂફે પિતે આપેલા શિક્ષણ અથવા જ્ઞાનના બદલે કશી ફી ઠરાવતા નહિ. પરંતુ આવું શિક્ષણ આપનાર સક્રિસ્ટો અગાઉથી જ પોતાની ફી ઠરાવતા, અને દલીલ કેમ કરવી, દલીલોને કેવી રીતે તેડી પાડવી, તથા સમાજમાં પિતાના શ્રોતાઓ ઉપર કેવી રીતે છાપ પાડવી –આ તમામ વિદ્યા તેઓ પોતાના યુવાન શિષ્યોને શિખવતા. સમાજમાં વ્યક્તિ વ્યક્તિને સ્વાર્થ ભિન્ન હોય અને ઘણી વાર વિરોધી પણ હોય, તેથી બુદ્ધિની પ્રમાણગત પદ્ધતિઓને વિરોધી વિધાને પણ સાબીત કરવાં પડે, અને આ રીતે ગ્રીક સામાજિક જીવનમાં વિતંડાવાદ (“E ni stik ') તથા સાચા પ્રમાણુશાસ્ત્રની પદ્ધતિએ દલીલ કરવાની વિદ્યાને (“L 0 g r s t i ke') જન્મ થયો. ગ્રીક ફિલસૂફીની જુની વિચારસરણી માણસને પોતાના જીવનમાં સહાયભૂત અથવા માર્ગદર્શક થાય એમ ગ્રીક લોકોને લાગ્યું નહિ,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy