SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ જ્યારે એ સદ્ગણી માણસો–જેમણે ઉમ્મર થયે અનુભવ મેળવ્યા છે, એવાના સમાગમમાં આવે છે, ત્યારે એની પોતાની બિનપાયાદાર શંકાઓને લઈને એ ફરી મૂર્ખદેખાય (૩) છે; એ પ્રમાણિક માણસને ઓળખી શકતો નથી, કારણ એનામાં પ્રમાણિકપણને પ્રતિકૃતિ * નથી; (છતાં) દુનિયામાં સારા કરતાં ખરાબની સંખ્યા વધારે મેટી છે, તેથી અને એ ખરાબના સમાગમમાં વધારે આવતો હેવાથી, (એના જેવા) બીજાઓ તેમજ પિતે પિતાની જાતને મૂર્ખ નહિ પણ ઉલટી ડાહી માને છે. તેણે કહ્યું: તદ્દન ખરું. ત્યારે જે સારા અને વિવેકી ન્યાયાધીશને આપણે શોધીએ છીએ તે આ માણસ નહિ પણ બીજે; કારણ વળી દુર્ગણ સગુણને ઓળખી નહિ શકે, પરંતુ કાળે કરીને શિક્ષણ પામેલો સગુણ સ્વભાવ સગુણ અને દુર્ગુણ બન્નેનું જ્ઞાન મેળવી શકશે : (૨) દુર્ગણ નહિ પણ સદ્ગણું માણસમાં જ વિવેકબુદ્ધિ હોઈ શકે છે–મારા અભિપ્રાય પ્રમાણે. અને મારા પણ. તમારા રાજ્યમાં આ પ્રકારના વૈદકશાસ્ત્રને અને આ જાતના કાયદાને તમે અનુમતિ આપશે. શરીર અને આત્મા બંનેનું આરોગ્ય અપીને વધારે સારા સ્વભાવવાળાંનું (૪૧) તે પિષણ કરશે; પરંતુ * “ Pattern of honesty’ વસ્તુ અને વસ્તુતત્ત્વ-A thing and its ldea એ બે વચ્ચેના સંબંધનું વર્ણન કરતાં પહેટે ઘણી વાર Pattern શબ્દ વાપરે છે. જે તત્ત્વ છે તે એક આદર્શ નમૂનો છે અને જડ વસ્તુ શક્ય તેટલું એનું અનુકરણ કરે છે. જેટલે અંશે વસ્તુ વધારે સારું અનુકરણ કરી શકે તેટલે અંશે તે વધારે સારી. અથવા તત્ત્વનો અંશ એમાં તેટલું વધારે x પરંતુ “લગ્ન”ના પુસ્તક ૧૨ માં હેટે એ અભિપ્રાય દર્શાવે છે કે દુર્ગુણ પણ સગુણને સાચો ખ્યાલ બાંધી શકે. એટલે કે vidio meliora probogue deteriora sequor એ સ્થિતિ શક્ય છે, એમ એ માને છે,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy