SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પરિછેદ થાય પણ ખરો. પરંતુ જે પ્રજાજનેની જીંદગી તેમને અથવા બીજાને કશા ઉપગની નથી, એવા રેગિષ્ટ અને અસંયમી લેકે સાથે તેઓ કંઈ લેવાદેવા રાખતા નહિ; વૈદકની કળા કંઈ એવાઓનું ઈષ્ટ સાધવા યોજાઈ ન હતી, અને તેઓ મીડાસ જેટલા તવંગર હેત તો પણ એલેપિયરના પુત્રોએ એમની દવા કરવાની ના પાડી હોત. એલેપિયસના એ પુત્રો! તેઓ બહુ તીણ બુદ્ધિના લેકે હતા! મેં જવાબ આપે એ સ્વાભાવિક હતું. છતાં કરુણરસપ્રધાન નાટકના લેખકે તથા પીન્ડાર, આપણું આદેશનું પાલન ન કરતાં, જે કે તેઓ કબૂલ કરે છે કે એલેપિયસ એપોલોને પુત્ર હતો, તે પણ વળી કહે છે, કે એક તવંગર માણસ જે મરવાની અણી પર હતો એણે લાંચ આપી તેથી તેમણે એને સાજો કર્યો અને આ કારણે (ક) એના પર વીજળી પડી. પરંતુ આપણે જે સિદ્ધાંત કયારને નિશ્ચિત કર્યો છે તે અનુસાર એ બંને (વાત) જ્યારે તેઓ આપણને કહેવા આવશે ત્યારે આપણે એમાં નહિ માનીએ;–જે એ દેવને પુત્ર હતે તે અમે કહીએ છીએ કે એ લેભી નહોતો; અથવા જે એ લેભી હતી, તો એ દેવને પુત્ર નહોતો. સેક્રેટિસ, આ બધું તો બહુ ઠીક; પરંતુ મારે તમને એ સવાલ કરવો છે. રાજ્યમાં સારા વૈદ્યો શું ન હોવા જોઈએ, અને જેમણે સૌથી વધારે સંખ્યામાં સારા અને ખરાબ બાંધાના શરીરોને સારા કર્યો હોય એ શું (૩) સારામાં સારા વૈદ્યો નહિ ? અને એ જ રીતે જેઓ દરેક પ્રકારના નૈતિક સ્વભાવથી પરિચિત હય, એ શું સારામાં સારા ન્યાયાધીશો નહિ ? ' મેં કહ્યુંઃ હા, સારા ન્યાયાધીશેને તથા સારા વૈદ્યોને તે હું પણ રહેવા દઉં. પરંતુ હું સારા કોને ગણું છું એની તમને ખબર છે ? મને કહેજે ! જે મારાથી કહી શકાશે તે કહીશ. પરંતુ મારે સ્પષ્ટ કરવું
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy