SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ (૩) મારો અ` આ છે સુથાર માં પડે ત્યારે એ ગમે તેવી કડવી ( કે ઉગ્ર ) અને જલદી સાજા કરે એવી વા માગે છે; વાંતિકર કે વિરેચક અથવા ડામ કે શસ્ત્ર ( કાપ )—આ ઉપાયા એ વાપરે છે, અને જો કાઈ એને પથ્યાપથ્યની રીતિ ઔષધિવિધ તરીકે નિશ્ચિત કરી આપે અને કહે કે એણે માથા પર પાધડી જેવડા પાટા બંધાવવા જોઈ એ અને એવું ખીજું બધું—તેા એ તુરત જવાબ આપશે કે એને માંદા પડવા જેટલી નવરાશ નથી; અને પેાતાના સામાન્ય ધંધા તરફ ખેદરકાર થવું પડે એ રીતે પોતાના રોગની સારવાર કરવામાં ગાળેલી જીંદગીમાં કશું ઇષ્ટ નથી એમ એને દેખાય છે, ( ૬ ) અને તેથી આવા વૈદ્યને ‘રામરામ' કરીને, એ પેાતાનું સામાન્ય રૂઢ જીવન પાછું શરુ કરે છે અને કાં તે તંદુરસ્ત થાય છે. અને જીવે છે અને કામ કરે છે, અને નહિ તા—જો એનું શરીર પડી ભાંગે તે એ મરી જાય છે અને ( પછી) એને કંઈ ફરિયાદ રહેતી નથી. ૪૦૬ તેણે કહ્યું : હા, છંદગી એવી સ્થિતિએ પહોંચી ગઈ હોય, તા માણસે વૈદકની કળાને માત્ર એટલા પૂરતા જ ઉપયાગ કરવા જોઈ એ ( એથી વધારે નહિ ). (૪૭) મેં કહ્યું: શું એને ધંધા રોજગાર નથી, અને એની પાસેથી એને ધંધા છીનવી લેવામાં આવે, તેા એની જીંદગીમાં શા ફાયદા રહે ? તેણે કહ્યું : તદ્દન ખરું. પરંતુ પૈસાદાર માણસને સવાલ જુદો છે; એને જીવવું હોય તે, ખાસ કંઈ મુકરર કામ, જે એણે કરવું જ જોઈ એ, એવું કઈ એની પાસે છે એમ—એને વિશે આપણે કહેતા નથી. એને કશું કરવાનું હોતું નથી એમ સામાન્ય રીતે માનવામાં આવે છે.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy