SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ પરિણામે આભાસરૂપ છે–આપણું બુદ્ધિગમ્ય વિચારનાં આ બે પાસાં છે, અને એમાંથી ગમે તે એકને આપણે દાબી દઈએ, તો બેિમાંથી ગમે તે બાકી રહેલા અંગને વિશે આપણે ભાષા દ્વારા કશું વિધાન કરી શકીએ નહિ. કારણ દરેક વિધાનમાં કર્તા અને ક્રિયાપદ હેય છે, અને એ બે વચ્ચેના તને સમન્વય વિધાનની એકતામાં થયેલ હોય છે. આથી કેવલ, અપરિણમી તવ વિશે કશું વિધાન કરી શકાય નહિ, તેમ જ જે પરિણામે તદન એક બીજાથી સર્વાશે ભિન્ન છે તે વિશે પણ વિધાન શકય બનતું નથી, કારણ હરકોઈ પ્રમાણગત વિધાનમાં આપણે જે બે તો તદ્દન ભિન્ન નથી, તેમ તદ્દન એક નથી–તેવાંની વચ્ચે એકત્વ સ્થાપવાનું કે તેમની સરખામણી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પ્રશ્નને ઉકેલ લાવવા આપણી ફિલસફીમાં (ચોરવર્શનમાં), અભેદમાં ભેદ રોપે અથવા ભેદમાં અભેદ રેપે અને એ રીતે બૌદ્ધિક વિધાનો શક્ય કરે એવી આપણું ચિત્તની “વિવ” નામની વૃત્તિ માન્ય રાખવામાં આવી છે. ઈન્દ્રિયગોચર બાહ્ય વિશ્વનું જ્ઞાન (વિજ્ઞાન) મેળવવામાં એ વૃત્તિ પ્રધાનપણે ભાગ ભજવે છે, તે પણ નિર્વિકલ્પજ્ઞાનની શક્યતા આપણુમાં સ્વીકારવામાં આવી છે. આપણે યુરેપની અર્વાચીન અથવા સમકાલીન ફિલસુફી તરફ નજર ન કરીએ ત્યાં સુધી યુરોપીય ફિલસૂફીમાં આ વિચારસરણી આપણને મળી આવતી નથી. પારમેનાઈડીઝે શુદ્ધ, કેવલ, અપરિણામી તત્વને જ સ્વીકાર કર્યો તેથી સ્થળ અને કાળને ભેદ પણ લોપ થઈ ગયો, અને તેની સાથે પારમેનાનાઈડીઝના શિષ્ય ઝીનેએ સાબીત કરવા પ્રયત્ન કર્યો તે અનુસાર ૧૦. ઝીનના બે દાખલાઓ બહુ જાણીતા છે. પહેલે ? ધારો કે કાચબો એકીલીઝની સાથે સરત દેડે છે. કાચબો ધીમો છે તેથી એને વહેલો છોડવામાં આવે છે, અને એ અમુક સુધી આગળ જાય ત્યાર બાદ એકીલીઝ દેડવાનું શરુ કરે છે અને તે વખતે કાચબો ધારા કે જ સ્થાને હતો અને એકીલીઝ એ સ્થાને પહોંચે તે દરમિયાન કાચબો ધાર કે જા સ્થાન પર પહોંચ્યો. પછી થી ૧
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy