SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ થયર કર - તેણે આ વિધાનની પણ સામે થવાને વિચાર કર્યો, પણ છેવટે નમતું આપ્યું. મેં આગળ ચલાવ્યું. ત્યારે જેટલે અંશે એ વૈદ્ય છે, તેટલે અંશે વૈદ્ય જે દવા આપે છે તેમાં પિતાનાં નહિ, પણ દરદીનાં ભલાને જ વિચાર કરે છે કારણ સાચા વૈદ્યનું ક્ષેત્ર માનવશરીર છે, અને તેને એ શાસનકર્તા પણ છે, અને માત્ર પૈસા કમાનાર નથી; એ આપણે સ્વીકાર્યું છે, નહિ ? હા. અને એ જ રીતે, શબ્દના નિયત અર્થમાં સુકાની માત્ર ખલાસી નથી, પરંતુ ખલાસીઓને શાસનકર્તા છે–નહિ ? (૬) તે આપણે સ્વીકાર્યું છે. અને એવો સુકાની અથવા શાસનકર્તા પોતાના અથવા શાસનકર્તાના હિતને નહિ, પણ તેના (હાથ) નીચે જે ખલાસી છે તેનાં હિતને પૂરાં. પાડશે અને તે આદેશ આપશે, ખરું ને? કમને તેણે “હા” કહી. ' કહ્યું ત્યારે, કૅસિમેકસ, એકેય (પ્રકારના) રાજ્યમાં એ કઈ પણ નહિ હોય, જે એક શાસનકર્તાની રૂચે તેના પિતાના હિતનો વિચાર કરતો હોય કે તે અનુસાર આદેશ આપતો હોય, પરંતુ તેની કલાને શું ઉચિત છે અથવા તેની પ્રજા (ક્ષેત્રનું જે હિત છે તેનો જ એ હંમેશાં વિચાર કરશે અથવા આદેશ આપશે; તે તરફ જ એની નજર રહેશે, અને એ જે કંઈ કહેશે કે કરશે તે બધામાં આનું જ એ સમર્થન કરશે ? . (૩૪૩) દલીલમાં અમે આટલે સુધી આવ્યા અને બધાએ જ્યારે જોયું, કે ધર્મની વ્યાખ્યા તદ્દન ઉલટસુલટ થઈ ગઈ હતી, ત્યારે મને જવાબ આપવાને બદલે પ્રેસિમેકર્સે કહ્યું: મને કહે જોઈએ, સેક્રેટિસ, તમારે કઈ આયા છે કે નહિ ? મેં કહ્યું જ્યારે તમારે ઉત્તર આપવો જોઈએ ત્યારે ઉલટી તમે આવો સવાલ કેમ પૂછે છે ?
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy