SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ *૩ પરિચછેદ ૧ = અને સુકાની–એટલે કે સાચે સુકાની–તે ખલાસીઓને કમાન છે કે માત્ર ખલાસી જ છે ? કપ્તાન છે. (૩) એ વહાણમાં મુસાફરી કરે છે એ સંજોગને આપણે ધ્યાનમાં લેવાનું નથીતેમ આપણે તેને ખલાસી પણ કહેવાનો નથી. “સુકાની” નામથી એ જે ઓળખાય છે તેને મુસાફરીની સાથે બિલકુલ સંબંધ નથી, પણ ખલાસીઓ પરના તેના આધિપત્યનું અને તેના નૈપુણ્યનું એ સૂચક છે. તેણે કહ્યુંઃ તદ્દન ખરું. મેં કહ્યું: હવે દરેક કલાને પોતાનું ધ્યેય હોય છે, ખરું ? * Interest : (ઇન્ટરેસ્ટ) “ હિત', બેય. દલીલ નીચે પ્રમાણે છે શરીરનું Interest-હિત, થેય, તેના આરોગ્યમાં છે, કલાનું ધ્યેય તેની પૂર્ણતામાં છે, જે કઈ કલામાં ઊણપ હોય, તો તે ઊણપ કાં તો તે પોતે પૂર્ણ કરે, અને નહિ તો કોઈ બીજી કલા પૂર્ણ કરે. જે બીજો વિકલ્પ લઈએ તે અનવસ્થા દેષ આવે. જે પહેલે વિકલ્પ લઈએ, તો પણ, શબ્દને આપણે તેના નિયત અર્થમાં જ વાપરતા હોઈએ તો, પ્રશ્ન સહેજે થાય કે જેમાં જરા પણ ઊણપ હોય તેને આપણે શું સાચી કલા કહી શકીએ ? ઍસિમેકસ શબ્દને એના નિયત અર્થમાં જ વાપરે છે. અને તેથી જવાબ આપે છે. કે જેમાં ઊણપ છે તે કલા ન જ કહેવાય. કલાની આવી વ્યાખ્યા સ્વીકારીએ, તે જે સર્વા શે સંપૂર્ણ છે તેનું નામ જ કલા; અને તે કલાનું ધ્યેય તેની પોતાની પૂર્ણતા છે એમ આપણે નહિ કહી શકીએ. કારણ એ તો પૂર્ણ છે જ; તો પછી કલાનો જે વિષય છે–તેનું જે થેય અથવા હિત તે જ કલાનું ધ્યેય અથવા હિત એમ સાબીત થાય છે. આ ઇન્ટરેસ્ટ, ધ્યેય, અચૂક નિશાન આદિ વડે સૂચવાતો અર્થ આપણી ફિલસૂફી કે પરંપરાની પરિભાષામાં “સ્વભાવ” પણ કહેવાય. અગ્રેજી અને યુરોપિયન વૈજ્ઞાનિક પરિભાષામાં nature (નેચર) શબદ આવા અર્થમાં વપરાય છે. એરિસ્ટોટલ આ જ અર્થમાં કહે છે, “man is by nature a social animal’ ‘Social and political organisaticos are natural to man'
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy