SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૧ ' મનેારમ રીતે કહ્યું છે તેમ, ‘મધુર આશા યાની દેવી થઈ પડે છે.’ તે કવી ગયા છે : જે આશા મનુષ્યના ક્ષુબ્ધ આત્મા પર સૌથી જખરું પ્રભુત્વ મેળવી શકે છે—તે આશા જેણે જેણે ધર્મોમાં અને પવિત્રતામાં પોતાનું જીવન ગાળ્યું છે તેના આત્માનું પાલન કરે છે, તેના જીવનપથની સહચારિણી થઈ રહે છે, અને વૃદ્ધાવસ્થામાં તેની સારવાર કરે છે. ' તેના શબ્દો કેટલા પ્રશસનીય છે ! અને—‘દરેકને—' (વ) એમ હું કહેતા નથી, પણ સદાચારી માણસને સ`પત્તિથી જે મેટા લાભ થાય છે તે એ છે કે જાણ્યું કે અજાણ્યે ખીજાને છેતરવાના કે ઠગવાના એક પ્રસંગ તેને આવતેા નથી; અને જ્યારે તેને મૃત્યુ પછીની નીચેની દુનિયામાં જવાને પ્રસંગ આવી લાગે છે, ત્યારે દેવતાઓને આપવાના બલિ કે લેણદારાનાં માગણાં સબંધી તેને કશી ખીક રહેતી નથી. માણસ પાસે જો દ્રવ્ય હોય તેા મનની આ શાંતિ મેળવવામાં તે ખૂબ જ સહાયભૂત થાય છે; અને તેથી હું કહું છું કે વિગતેાની સામસામી તુલના કરતાં વિવેકી જનને સોંપત્તિથી જે ઘણા લાભો મળે છે તેમાંને આ લાભ મારા અભિપ્રાય પ્રમાણે સૌથી મોટા છે. (૪) મેં ઉત્તર આપ્યા : સેફેલસ, ખરેખરી વાત કહેા છે!; પણ ધર્મ સંબંધે—એટલે ?—સાચું માલવું અને પેાતાનાં દેવાં પતાવવાં ~એનાથી કઈ જ વિશેષ નહિ ? અને આમાં પણ શું અપવાદ નથી આવતા? ધારો કે એક મિત્ર, જ્યારે એનું મન ઠેકાણે હોય ત્યારે મને શસ્ત્રો સાચવવા આપે છે, અને પછી જ્યારે એનું મગજ ક્ષુબ્ધ અને ત્યારે એ પાછાં માગે છે. આવે પ્રસ ંગે મારે તે શસ્ત્રો શું એને પાછાં આપવાં જોઈ એ ? તેના જેવી સ્થિતિમાં કાઈ હોય, અને મારે તેવા સાથે સાચું ખેલવું જ જોઈ એ, એમ જેમ કાઈ નહિ કહે, તેવી જ રીતે, મારે તે શસ્રો પાછાં આપવાં જોઈ એ અગર હું તેમ કરું તેા સારુ કયુ" કહેવાય—એમ કાઈ જ નહિ કહે. * વ્યાખ્યા ૧,
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy