SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૧ –ઉપોદઘાત [ ૪૯ અનુવાદોથી પણ ગુજરાતી સાહિત્યમાં બીજી ભાષાઓની ખાસિયતોની વૃદ્ધિ થઈ છે. દીવાન બહાદુર કેશવલાલ હર્ષદરાય ઘવનાં મુદ્રારાક્ષસ, વિક્રમોર્વશીય, ભાસનાં નાટક, વગેરે સંસ્કૃતના કેટલાક વિદ્વત્તાભરેલા અનુવાદો છે. પ્રોફેસર ધ્રુવ એક મહાન વિવેચક અને ભાષાશાસ્ત્રી હતા. બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. આનંદશંકર ધ્રુવ પણ સંસ્કૃતના એક પ્રખર વિદ્વાન હતા. એમણે “વસંત” નામના વિદ્યાવિષયક માસિકના તંત્રી તરીકે કામ કર્યું હતું. તેઓ મહાન વિવેચક પણ હતા. બંગાળી, મરાઠી વગેરે જુદા જુદા પ્રાંતની ભાષાના અભ્યાસનો રિવાજ ગુજરાતમાં ચાલ્યો આવ્યો છે. આ ભાષાઓની ખાસિયત પણ ગુજરાતીમાં લેવાય છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ઈતિહાસના વિષયો માટે પણ સંશોધન માટે પૂરતી કેશિશ કરવામાં આવી છે. | ગુજરાતના આ જ્યોતિર્ધર-કવિઓની ગુજરાતમાં સારી રીતે લોકપ્રિયતા થઈ છે: નામ જન્મ અવસાન વતને ૧. નરસિંહ મહેતા ૧૪૧૨ જુનાગઢ ૨. મીરાંબાઈ ૧૪ ૩૨ ૧૪૭૦ મેવાડ–મેડતા ૩. ભાલણ ૧૪૩૯ ૧૫૨૯ પાટણ ૪. અખે ૧૬૧૫ ૧૬૫ અમદાવાદ પ્રેમાનંદ ૧૬૩૬ ૧૭૩૪ વડેદરા ૧૬૭૫ ૧૭૩૦ અમદાવાદ ૭. દયારામ ૧૭૫૨ ડભોઈ દલપતરામ ૧૮૨૦ ૧૮૯૮ વઢવાણ ૯. નર્મદાશંકર ૧૮૩૩ ૧૮૮૬ સુરત ૧૦, ને દશ કર ૧૮૩૫ ૧૯૦૫ . સુરત ૧૧. નવલરામ ૧૮૩૬ સુરત ૬. શામળ
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy