SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાનના હુમલા [ ૨૫૧ ત્યારે લૂટમાર કરી પાછા ફરવાને બદલે તે તેની પાછળ પડયા. તે દેલવાડા ચાલ્યેા ગયા હતાં તેથી મહમૂદ ત્યાં ગયા, ત્યારપછી તે સેામનાથ તરફ આવી રહ્યો હતા તેથી મહમૂદે પણ તે તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચતાં તેને ખબર થઈ કે તે કચકાટ નાસી છૂટયેા છે. હવે કથકાટ જવાને મે સારા રસ્તા હતા : એક તેા ખંભાત બંદર લૂટી ત્યાંથી જહાઝમાં બેસી જવાનું હતું; પરંતુ એમાં તે બાબત લખાઈ જાય એમ હતી. ખીજો આસાન રસ્તા સામનાથ બંદર થઈને જવાતા હતા. જો સામનાથના લેાકાએ એની અધીનતા સત્વર સ્વીકારી હાત અને મા` આપ્યા હાત તે સામનાથને કાઈ પણ જાતનું નુકસાન થયું ન હેાત અને તે સીધા કથકાટ પહોંચી ગયા હીત. વળી એ માટે એ દલીલ છે કે મહમૂદની સારી ઉમરમાં એવે એક પણ દાખલેા નથી જે એમ પુરવાર કરે કે તાબેદારી સ્વીકાર્યા ખાદ સુલેહશાંતિ દરમિયાન કાઈ મંદિરને તેણે લૂટયું હોય કે ક્રાઈ હિંદુને ખળજબરીથી મુસલમાન બનાવ્યા હોય. પરંતુ સામનાથના લાકાએ માગ શકયા અને કિલ્લાબંદ થઈ મને કમને લડાઈ વહેારી લીધી. એના ફાયદા દુશ્મનાએ ઉડાવ્યા. ત્યારપછી આપણે જોઈએ છીએ કે જોકે સામનાથ જીત્યા પછી તેણે લૂંટવું જેવું હતું પરંતુ તે ફતેહ કર્યા બાદ કંથકોટ પહોંચ્યા. કથકાટથી પણ રાજા ભાગી ગયા ત્યારે મહમૂદે તેની પૂઠ પકડી. ત્યાં આવનાં તેને માલૂમ પડયું કે પોતે પહાડી પ્રદેશમાં ચાલ્યે થયેા. જો મહમૂદની મકસદ ફક્ત સામનાથ જીતવાની જ હાત તા તેણે અજમેર અને આજીના રસ્તાને બદલે કચ્છના નાના રણમાં થઈને બનતી ત્વરાથી સેામનાચ પહોંચી જવું જોઈતું હતું, જેમકે તેણે વાપસી વખતે તેમજ કર્યું હતું. પરંતું હું જોઉં છું કે ભીમદેવની પાછળ પાછળ તે દોડતા ફરતા હતા એ ઉપરથી માલૂમ પડે છે કે તે તેની પાછળ જ સામનાથ ગયેા હતેા. અને જો તેના ઇરાદે ફક્ત લૂંટના જ હોત તે તેણે ખંભાત અને માળવા જેવાં માલદારા સ્થળેા શા માટે છેાડી દીધાં ?
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy