SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ] ગુજરાતનો ઈતિહાસ સંભવિત હતું કે સમય પહેલાં જ છાની વાત બહાર પડી જાત. મારી ધારણ મુજબ એક બીજી વાત પણ ધ્યાનમાં હશે કે સ્ત્રી પોતાનાં દુઃખ અને દર્દની કહાણી ભરાયેલા હદયે સંભળાવી સુલતાન ઉપર અસર પેદા કરે છે તેવી રીતે કરવું બહુધા એક પુરુષ માટે અસંભવિત હતું. ગમે તેમ હોય, પરંતુ અતિ સંભવિત છે કે આ ખલીફ મુઅસિમને ઉમૂરિયાના બનાવને સામને કરે પડયો હતો તેવી જ છે. રોમના લેકે તરફથી થતી મુસીબતોમાંથી તેણે ફરિયાદી સ્ત્રીને બચાવી હતી અને રસ્તાની મુશ્કેલી વિશેને કઈપણ જાતને પ્રશ્ન ન હતો. પરંતુ ગુજરાતમાં તેમ ન હતું. ગઝનાથી ગુજરાત આવવું સાધારણ કામ ન હતું. જરા પણ અફવા કેઈન કાન ઉપર પડે, તે સુલતાન મહમૂદ માટે મુશ્કેલીઓ ઊભી થઈ જાય. એ વાત આખર પર્યત છાની રાખી અને એ જ કારણથી અટક નદીથી માંડી ગુજરાતના રાજાઓમાંથી કોઈને પણ એની ખબર ન પડી. ૨. એક કારણ એ પણ હેઈ શકે કે પહેલી હિજરી સદીથી મુસલમાને વેપાર અર્થે અરબસ્તાનથી ઈરાન, સિંધ, હિંદુસ્તાનના કિનારા, લંકા અને ચીન પર્યત જતા હતા, અને હરેક સલ્તનત વેપારીઓનું રક્ષણ કરવું એ પિતાની ફરજ ગણતી હતી. જેવા કે મુસાફરોનાં સફરનામાંમાંથી વલભીપુર, ખંભાત, મલબાર, લંકા અને ચીનના દાખલા મળે છે. અને કોઈક વખતે એ સલ્તનતોએ પરવા ન કરી અથવા તે ઈન્કાર કર્યો ત્યારે ખુદ ઈસ્લામી સલ્તનતેએ સુંદર રીતે તેની ફરજ અદા કરી; જેમકે સિંધના દેવલ નામની જગ્યા વિશેના બનાવ ઉપરથી માલુમ પડે છે. કમનસીબે તે સમયે સોમનાથ અને કચ્છ બંને દરિયાઈ ચાંચિયાનાં કેન્દ્રસ્થળો હતા, જ્યાંથી જહાઝો લુંટવામાં આવતાં હતાં. જેમકે અરનાં જે જહાઝ ૧. સફર નામએ સુલેમાન સયરાણિી, પ્રેપેરિસ ૨. બલાઝરી-છપાયેલ મિસર. સિંધના પ્રકરણમાં. ૩. ક્વિાબુલ હિંદ–અલબીરૂની, છપાયેલ યુરોપ. જેમકે ઉપર આવી ગયું છે.
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy