SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાનેાના હુમલા [ ૨૩૭ પડયો, અને હજી “સામનાથ ”ના એક પથ્થરને સર્વશક્તિમાન ( ખુદા ) માને છે. ૧ એ પણ વિચારવા જેવી બાબત છે કે ફિરસ્તાનું લખાણ કેટલે અંશે સ્વીકારવા યેાગ્ય છે, તેમજ એ વાત શું હાસ્યાસ્પદ નથી ક પોતાના એટલુ જ નહિ પરંતુ હારા માણસોના જાન જોખમમાં નાખી મહમૂદ ફક્ત મૂર્તિ તેડવાને માટે બલ્ખથી સૌરાષ્ટ્ર પત આધ્યે! હાય ? શું આવો કાઈ દાખલા મહમૂદની સારી જિંદગીમાં મળી શકે છે? વળી શું તમામ ઇસ્લામી તારીખમાંથી આવા કાઈ દાખલા પેશ કરી શકાય છે? તેથી મારા ખ્યાલ મુજબ ફક્ત સંકુચિત દૃષ્ટિથો અને ધાર્મિક લાગણીને લઈને જ આને કારણ રૂપે ગણવામાં આવ્યું છે; નહિતા સત્ય સાથે એને કંઈ નિસ્બત નથી. વળી ખૂબી એ છે કે સેામનાથને તેાડવાને હિંદુએની રજપૂત ફ્રીજ પણ સાથે હતી. આથી તેનાં અસલ કારણેા હું નીચે જણાવું છું તે છે: ૧. સેામનાથ પાટણ એક મશહૂર બંદર હતું. દૂરદૂરથી જહા આવતાં હતાં અને હરેક જાતના માલ વેપારીએ લાવતા હતા. એ જાત્રાનું સ્થળ હાવાથી અહીંની વસ્તી પુષ્કળ હતી. તેમાં મુસલમાન પણ રહેતા હતા, જે વેપાર અર્થે ત્યાં વસ્યા હતા. તે મુસલમાને સાથેનું વન બહુ સારું ન હતું. તે ઉપરાંત તે વેપારીએાની અસરથી ખુદ એ જ જગ્યાના હલકા દરજ્જાના લેાકેા જે મુસલમાન થઈ ગયા હતા, તેમની સાથેનું સામાન્ય વર્ગોના વતનીઓનું અને કર્તાહર્તા લેાકેાનું વન બહુ જ ખરાબ હતું. કેટલીક વખત તે તે અસહ્ય હતું. તે સમયે માહમ્મદ બિન હસન બિન અલી ઈરાકી નામના એક મુઝુ` મક્કાથી માંગરૅાળ અને ત્યાંથી પ્રભાસપાટણ આવ્યા હતા. તેમણે પેાતાની પવિત્રતાથી લેાકેામાં પ્રેમ તેમજ સતા વિશ્વાસ ૧. હાશિમીની તારીખે હિંદ, બદાયૂની, તમકાતે નાસિરી અને સિયરૂલ મ્રુતખ્ખરીનમાં કંઇ ઉલ્લેખ નથી. જ્હોન મક્કમ સાહેબે પણ જે કઈ લખ્યું છે તે ફરિશ્તાના ઉલ્લેખના સારાંશ છે. એલ્ફિન્સ્ટને પણ એ જ લખ્યુ છે.
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy