SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] ગુજરાતનો ઈતિહાસ રાજ સોલંકીની હિમાયતને લઈને સામાન્ય વર્ગમાં એ અતિ પ્રિય થયું. બીરનીએ પણ લખ્યું છે કે કિલ્લા વગેરે પુરાણું જમાનાનાં બંધાવેલાં નથી, પરંતુ તે આજથી સે વરસ પહેલાંનાં છે; અર્થાત વૈરિસિંહ ચાવડાના સમયમાં તે તૈયાર થયાં.૧ અને તેની પ્રખ્યાતિનું કારણ એ છે કે એ બંદર છે અને વેપાર અર્થે ચીન અને ઝાંઝીબાર પર્યતથી લેકે આવે છે. (ઘણું કરીને એ સર્વે અરબો હશે, જે આફ્રિકાને માલ ચીન લઈ જતા હતા.) એમ કહેવાય છે કે સોમનાથનું દેવળ પ્રથમ સોમરાજે સોનાનું બનાવ્યું હતું, ત્યારપછી બીજીવાર રાવણે ચાંદીનું બનાવ્યું, ત્રીજી વખત કૃષ્ણ તે લાકડાનું બનાવ્યું, અને આખરે ભીમદેવે તે પથ્થરનું બનાવ્યું. હું ધારું છું કે કહેનારથી મૂતિને બદલે મંદિર શબ્દ વપરાઈ ગયો છે. બહુધા મંદિર કહેવાને ભાવાર્થ મૂર્તિ હશે. એ એક મહાદેવનું કહેવું છે જેને, એક મોટું કંપાઉન્ડ છે. તેની છતને ૫૬ થાંભલાને આધાર છે. ત્યાં જ લિંગની પૂજા થતી હતી. અને એ લિંગ હિંદુસ્તાનનાં મહાન અને મશહૂર બાર લિંગમાંનું એક હતું, તે ઉપર સેનાને ભરે ચડાવવામાં આવ્યા હતા, અને ચારે તરફ જવાહિર જડવામાં આવ્યાં હતાં. અંદરથી તે નક્કર છે, જેમકે હાલમાં પણ બીજાં મંદિરમાં એવી જાતનાં લિંગ હેય છે. અને તે જમાનાના મુસાફરોનાં લખાણોમાંથી પણ એ માલૂમ પડે છે. લિંગની પૂજા વિશે સામાન્ય વર્ગના લોકોને એવો ખ્યાલ છે કે પ્રજોત્પત્તિ લિંગને લીધે જ થાય છે, તેથી તેની પૂજા જરૂરી છે. આવી જાતની પૂજા જેને સંતાન ન હોય એવા લેકે કરે છે. બીરૂનીએ જે કાંઈ આ વિશે પિતાની કિતાબમાં લખ્યું છે તે નીચે પ્રમાણે છે: એ મહાદેવનું લિંગ છે. અને મેં સાંભળ્યું છે કે એક ઋષિએ મહાદેવને પોતાની પત્ની સાથે જોઈ તેથી તેને વહેમ પડે અને ૧, બીરૂની, પૃ૦ ૨૫૩ ૨. Mિાબુલ હિંદ, અલબીરની
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy