SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ] ગુજરાતના ઇતિહાસ અશાલા અને નાથને અ માલિક છે. અર્થાત્ શોભાયમાન થાય છે. ઘણા ખરા ઇતિહાસકારે માને છે કે આ મૂર્તિને ચંદ્રની પહેલી અને પંદરમી તિથિએ સ્નાન કરાવવામાં આવતું હતું અને એ સ્નાન ધામધૂમથી કરાવવામાં આવતું હતું; તેથી ચંદ્ર ઉપરથી એને સામનાથ” નામથી એળખવા લાગ્યા.૨ ફરિશ્તામાં શેખ ફરીદુદ્દીન અત્તારની એક શે'ર નકલ કરવામાં આવી છે : “ લશ્કરે મહમૂદ અંદર સેામનાત, યાતન્ત આં ખુત કે નામશઃ ખૂદ્દનાત.” ( અર્થાત્ મહમૂદના લશ્કરે સેામનાથમાં એક સ્મૃતિ મેળવી જેનું નામ “નાથ” હતું. ) આ ઉપરથી એમ જણાય કે “સામનાથ” મંદિરનું નામ છે. અને “નાથ” મૂર્તિનું નામ છે; પરંતુ તમામ ઇતિહાસકારા મૂર્તિનું નામ “સામનાથ” જણાવે છે. ફરિશ્તાનેા કર્તા આ બંને વાતને મેળવી લખે છે કે આ શબ્દ “સામ” અને “નાથ” મળીને બનેલેા છે. “સામ” એક પાદશાહનું નામ છે જેણે આ મૂર્તિ બનાવી હતી; અને “નાથ” એ મૂર્તિનું નામ રાખવામાં આવ્યુ હતું. ત્યારપછી આ બંને શબ્દો ઘણા ઉપયોગથી રૂઢ થઈ “હૈદરાબાદ”ની જેમ મળી ગયા અને પ્રચલિત થઈ મૂર્તિનું જ નહિ, પરંતુ મંદિર અને શહેરનું પણ એજ નામ પડી ગયું. હિંદી ભાષામાં આનું દૃષ્ટાંત ‘“જગન્નાથ” છે. કાઠિયાવાડ ગેઝેટિયરમાં લખવામાં આવ્યું છે કે એ દિ પુરાણા જમાનામાં સૂર્યદેવતાનું હતું અને અહીંના હાકેમ સૂર્યવંશી ખાનદાનને! હતા. ત્યારપછી ચંદ્રવંશી ખાનદાનના એક મહાન રાજા સામરાજ ચાવડા વંશમાં થયા તેણે આ શહેર જીત્યું અને પેાતાની ૧. તારીખે અદાઉની-ક્લકત્તા-મહમૂદ વિશેનું પ્રકરણ ૨. તારીખે કાઉલ્લાહ, ભા. ૧ ૧. તરજૂમએ તારીખે ફરિશ્તા, ભા. ૧, પ્રે॰ નવલકિશાર
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy