SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦] ગુજરાતનો ઈતિહાસ હતો, તેને બીજા પુત્ર બળવો કરી નાગોર ચાલ્યો ગયો અને રાજાને ઉશ્કેરી ગુજરાતમાં લાવ્યો. નાગોરના “આણ” રાજાએ કુમારપાળ ઉપર ચડાઈ કરી, પરંતુ તે હારી ગયો અને કુમારપાળ જોડે પિતાની છોકરીને પરણાવી અને પુષ્કળ નજરાણું આપી સલાહ કરી. તેમાંથી ફારેગ થઈ કુમારપાળે માળવાના રાજા ઉપર ચડાઈ કરી અને તેને હરાવી શરણે આર્યો. ત્યારપછી પિતાના એક સરદાર નામે બાહડ (કે વાભટ્ટ) જે ઉદયપાળ મંત્રીને પુત્ર હતો, જે વજીર પણ હતો તેને કાંકણ ફતેહ કરવાને મોકલ્યો, પરંતુ એ સરદાર હારીને પાછો આવ્યો, તેથી કુમારપાળ પંડે એક ફોજ લઈ ચડાઈ કરી અને જીત મેળવી કોંકણના રાજાની ક્તલ કરી, તેનું પાયતખ્ત લૂંટી પુષ્કળ માલ લઈ આવ્યા. કુમારપાળે જેન લેકે માટે દહેરાં તેમજ અન્ય હિંદુઓ માટે શિવાલયે પુષ્કળ અંધાવ્યાં. પારસનાથનું મંદિર તેણે જ બનાવ્યું હતું. તેણે સોમનાથના મંદિરની મરામત પણ કરાવી હતી; સોમેશ્વરનું તીર્થ બે વખત બંધાવ્યું. તે પંડિતની બહુ કદર કરો. તેના જ સમયમાં પાશુપતાચાર્યો માન પામ્યા હતા અને તેના જ વખતમાં હેમાચાર્યના જેવા પવિત્ર અને વિદ્વાન જૈનાચાર્ય સારે સમાદર પામ્યા હતા. હેમાચાર્યના અવસાનથી કુમારપાળને બહુ આઘાત થે, કારણ કે તે તેના ગુરુ તેમજ સલાહકાર હતા. કુમારપાળ ૮૦ વર્ષ જીવ્યો હતો અને તે ૩૦ વર્ષ રાજ્ય કરી આખરે સૂતાના રેગથી ઈ. સ. ૧૦૭૪ (હિ. સ. પ૭૦) માં તેને દેહાંત થશે. તેના સમયમાં બ્રાહ્મણો અને જેને વચ્ચે ઘણું ઘર્ષણ રહેતું હતું. માંહેમાહે એકબીજા સાથે લડતા હતા. મેવાડના રાજાની એક પુત્રી કુમારપાળ વેરે પરણી હતી. તે અણહીલવાડ જતી ન હતી; એ ડરથી કે કદાચ તેને બળજબરીથી જેન બનાવવામાં આવે. તેના બાપે તેને દિલાસો આપી પોતાની જીમેદારીએ તેને અણહીલવાડ મોકલી. બળજબરીથી તેને ત્યાં જેને બનાવવામાં આવી. આ સાંભળી તેને બાપ જયદેવ ચિતામાં પડી બળી ગયો અને તેની સાથે ખાનદાનના
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy