SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ] ગુજરાતના ઇતિહાસ શહેર છે. અહીં નાળિયેર, કેળાં, કેરી વગેરે થાય છે, ડાંગરની ખેતી વધુ પ્રમાણમાં છે, અહીં મધ બહુ મળે છે. પરંતુ ખજૂર નથી. વળી લખે છે કે કામહલથી ખંભાત સુધી મેદાન છે, અને ત્યાંથી માંડી ચીમૂર સુધી લગાતાર ગામે આવે છે અને આગળ ચાલતાં હિંદુસ્તાનની વસ્તી શરૂ થાય છે. મુસલમાન અને હિંદુઓના એક જ જાતના લિબાસ છે. વાળ પણ એક જ રીતે રાખે છે. અતિ ગરમીના કારણથી તેઓ લૂંગી અને પહેરણ પહેરે છે. આ પછી તેણે શહેર વચ્ચેનુ અંતર લખ્યું છે. ૐ કામહલથી ખંભાત સુધી ૪ મરહલા ( ૧૨ કાસ કે તેથી વધુ) છે, અને સમુદ્રથી એક ફુરસમ (અરખી ત્રણ માઇલ) છે. અને ખંભાતથી સાપારા ૪ મરહલા છે. અને તે પણ સમુદ્રથી અર્ધો ફરસમ (અરખી ત્રણ માઈલ) છે. અને સેાપારાથી સજાન ૫ મરહલા છે, તે પણ સમુદ્રથી અર્ધા ફરસખ ઉપર છે. અને સંજાનથી ચીસૂર પ મરહલા અને ચીમૂરથી સરાન્દીપ (લંકા) ૧૫ મરહલા છે. તેનેા સમકાલીન રાજા મૂળરાજ સોલંકી હતા. ચાવડા ખાનદાનના હાથમાંથી સલ્તનત જતી રહી હતી અને મૂળરાજ સામ્રાજ્યના વિસ્તારમાં મશગૂલ હતા. તે પછી (૮) ખેાગિ રાજા થયા, પરંતુ તેના િવશેની ક ંઇપણ હકીકત જાણવામાં આવી નથી. આ વંશના આખરી રાજા (૯) ક્યું કે ` છે. ( ઈ. સ. ૯૭૩ ) ઇબ્ન હાકલ બગદાદી હિ. સ. ૩૬૦ (ઈ. સ. ૯૭૭ ) માં અહી` આવ્યા હતા. તે પોતાના સફરનામામાં જણાવે છે કે ખંભાતથી ચીમૂર સુધી રાજા વલ્લભરાયની હકૂમત છે. ત્યાં માટી વસ્તી હિંદુઓની છે, પરંતુ મુસલમાને પણ રહે છે. અને મુસલમાને ઉપર મુસલમાનાની હકૂમત છે. એટલે કે રાજા તરફથી તેમને માટે મુસલમાન હાકેમ મુકરર કરવામાં આવે છે. વલ્લભરાયના મુલ્કમાં મસ્જિદો છે, જેમાં જીમાની નમાઝ અદા કરવામાં આવે છે અને તે જ પ્રમાણે ઇસખરી ૧. સરનામાં ૨. .. પૃ૦ ૧૭૬ ૧૭૦ ,,
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy