SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુઓના સમય [ ૧૧૭ અને ઝવેરાતની તૈયાર કરવામાં આવે છે; અને એ જ પ્રમાણે એ યોગ્યતા મુજબ ફાજના સિપાહસાલાર અને અમલદારે પણ એ જ આભૂષણ પહેરે છે. અહીંના ઉમરાવ વના લેાકા આદમીની ગરદન ઉપર બેસી સવારી કરે છે (ધણું કરીને કહેવાને! ભાવા પાલખી હશે). તેના હાથમાં છત્તર હેાય છે, જેમાં મેારનાં પીછાં રાખવામાં આવે છે. અહીંના લેાકા સાથે મળી જમતા નથી અને એમ કરવું એમ ગણે છે. અમીરામાં નાળિયેરની કાચલીમાંથી તાસક જેવું વાસણુ બનાવવાના રિવાજ છે તે હરેકની સામે મૂકવામાં આવે છે અને તેમાં લોકા અલગ અલગ ખાય છે. જમ્યા બાદ તે તાસકને છાંડણુ સહ ફેંકી દેવામાં આવે છે. અહીંની રાણીઓમાં સામાન્ય રીતે પડદાને રિવાજ નથી. રાજાના દરબારમાં જે કાઈ જાય તે તેમને વિના પડદે જોઈ શકે છે.૧ એ રાજા પેાતાની જિંદગીના છેવટના ભાગમાં તખ્ત ઉપરથી પેાતાના હાથ ઉઠાવી લઇ ઈશ્વરભક્તિમાં લીન થયા, અને તેને પુત્ર તેની જગ્યાએ યાદી ઉપર આણ્યે. ગુજરાતના ઈશાન ખૂણામાં ક્ષેમરાજ ચાવડાની હકૂમત હતી અને સૌરાષ્ટ્રમાં મહેર લેાકા હતા. (૨) અકાલવ કૃષ્ણ બીજો—ઈ. સ. ૮૮૦-૯૧૪. દક્ષિણ ગુજરાતમાં ખેડા સુધી તેની હકૂમત હતી. એને વખતેાવખત ગુજરા સાથે લડવું પડયું અને તેમાં મોટે ભાગે તેને *તેહ મળી. તેના પિતાએ જૈતાના દિગબર પંથની મહાન સેવા કરી હતી, જેનું પરિણામ આ સમયે આવ્યું; એટલે કે બૌદ્ધોની હરેક તરફ પડતી થવા માંડી અને ત્યારપછી તેએ એટલા પડયા કે ફરીથી પેાતાને સભાળી ન શક્યા. આ જ સમયે બુઝુ બિન શહેરિયાર નામના એક ઈરાની વેપારી હિંદના કિનારા પાસે થઈને પસાર થયા, તેણે તેની કિતાબ અજાખુિલ હિન્દ” માં ઘણી વિગતા લખી છે તેમાં “માંગીર” વિશે લખે છે કે વલ્લભરાય રાજાનું પાયતખ્ત માંગીર” અઢળક દાલતને ૧. તિાખબુલ 'હિંદ, પૃ૦ ૧૬૭, પ્રેસ-પેરિસ
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy