SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યના [ : રહે છે. વચમાંથી ઉપાડી બીજી પતિની વચમાં છેડી દો તે તે પતિ સંવાદ વિનાની રહેશે. તેમણે જ આપેલા દાખલો જોઈએ. વહે વખત | પ્રાકતન સ્મરણુ સૂર જાગે વધે ખિલે | ઉર નિમન્ત્રતા અચુક એક હારા ભણી. ગમે ત્યાં યતિ મૂકીને વાંચેા તેના વિધા નથી. પણ તે આખી ૫ક્તિએ વાંચશે! તેા જ તેને સંવાદ પ્રતીત થશે. પણ પ્રાકતન સ્મરણ સૂર જાગે વધે ખિલે એટલું જ વાક્ય સ્વતંત્ર ખેલવું હશે તે તેમાં સંવાદ નહિ આવે. સંવાદ લાવવા હશે તે! આગલો ભાગ મનમાં જોડીને પછી જ લાવી શકાશે. એટલે પૃથ્વીમાં ત્રણ ચાર પતિને અંતરે વાકયાન્ત ચરણાન્ત લાવી મૂકવુ જ પડશે. નહિતર પાન સ્ખલિત થશે અને ઘણીવાર વાંચનાર પઠનના મૂળ સંવાદથી ભૂલા પડી જશે. આ રીતે સળંગ અગેય પદ્ય તરીકે પૃથ્વીને વાપરતાં તેની કેટલીક મર્યાદાએ ધ્યાનમાં રાખવી ધરે છે. અને છતાં પૃથ્વીની શક્તિ ધણી મેાટી છે. ગંભીર અવાળાં કાવ્યેાતે તેણે ઘણી સરળતા કરી આપી છે, અને ઉપરની મર્યાદાએ! છતાં જેને અંગ્રેજીમાં Epic Poem કહે છે, જેને માટે આપણે વીરરસ - મહાકાવ્ય શબ્દ વાપરીએ છીએ, તેને માટે બ્લૅક વની નિકમાં નિકટ મૂકી શકાય તેવી આ પદ્યરચના મતે જણાય છે. માત્ર એક તિ અને પ્રાસ કાઢી નાંખવાથી કાવ્ય કરવામાં નવી જ સરલતા નવા જ અવકાશ મળે છે એ એમની શેાધ ધણી મહત્ત્વની છે. અને એ શેાધની અસર આપણા સાહિત્ય ઉપર કાયમની રહેશે એમ હું માનુ છું. આપણે જોયું કે પૃથ્વી વીરરસ કાવ્યને માટે અનુકૂળ છે. પણ હુજી એક બાબત રહી જાય છે. બ્લૅક વની મૂળ વ્યાખ્યામાં જણાવેલું છે કે બ્લૅક વ વીરરસ કાવ્ય તેમ જ નાટક બન્નેને
SR No.032049
Book TitleArvachin Gujarati Kavya Sahitya
Original Sutra AuthorN/A
AuthorRamnarayan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy