SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. પદ્યરચનાના ફેરફારો [ ૧૯ તે તેને અપુ” હું વિરહ જ્વાળામુખી વિરહની જવાળા થકી જનંતી!?! જે ન ચકારી હોય તે હરિની ઝાંખી માટે તલસતી ? હર હે ઝાંખો માટે તલસંતી. હવે એમની લાવણનો નમૂનો લઈએ. હિંમત હારો મરદ ઘડી ના ગઢ લડિને લેવો લે રસ લહેજત ભર ધુંટડે ઘૂંટડે છે કે. મધુભતમાં પહેલી ત્રણ પંક્તિમાં ર૭ માત્રાઓ છે. છેલ્લી બેમાં ૨૮ છે અને લાવણની દરેક પંક્તિમાં ૨૬ માત્રા છે. ટૂંકી પંક્તિઓ છે તે આગલી પંક્તિઓને દોઢાયેલો ભાગ છે અને છેલ્લી પંક્તિમાં તો શબ્દોનું પણ પુનરાવર્તન થયું છે. તેથી વિશેષ ફેર નથી. બીજે ફેર હોય તો તે સંગીતના તત્ત્વને છે નર્મદાશંકરની અને હ. હ. ધ્રુવની લાવણીમાં ફેર છે તે સ્પષ્ટ દેખાય છે. તે સિવાય અનેક પ્રકારની લાવણીઓ નર્મદે વાપરી છે અને તેની જય જય ગરવી ગુજરાત ની લાવણીનો પ્રયોગ મણિભાઈ નભુભાઈ વગેરેએ એમની પાછળ કર્યો છે. આ ભિન્ન ભિન્ન પ્રકારની રચનાઓમાં સમાન તત્વ કર્યું? આ પ્રશ્નનો જવાબ સંગીતના તાલમાંથી મળે છે જે મારા વિષય નથી એમ મેં પહેલેથી કહ્યું છે. નર્મદાશંકરે વીરવૃત્તને નવું વૃત્ત કહ્યું માટે મારે આ પ્રશ્ન લેવો પડે, નહિતર લાવણી પણ સંગીતપ્રધાન જ છે. મારા એક સંગીતા મિત્ર જેમને તબલાંને સારો અભ્યાસ છે તેમની સાથે ચર્ચા કરતાં મને એમ જણાયું છે કે લાવણે એ કઈ રામ નથી પણ એક પ્રકારના તાલ છે. એ તાલ શિષ્ટ કે ઉસ્તાદી સંગીતને નથી. સંગીતશા અને વ્યવસ્થિત કરનાર શ્રીયુત ભાતખંડેનાં સંગીતનાં પુસ્તકમાં એ તાલનું વર્ણન નથી. તેની માત્રા માઠ છે અને તાલ ત્રણ છે. પહેલી ત્રીજી સાતમી માત્રા પર તાલ પડે છે–પાંચમી પર ખાલી જાય છે. જેમ આપણે રાસ હીંચકે ભવાઈના તાલે શિષ્ટ સંગીતના
SR No.032049
Book TitleArvachin Gujarati Kavya Sahitya
Original Sutra AuthorN/A
AuthorRamnarayan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy